રાજ્યસભા ચૂંટણીને લઈ હાલ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. આજે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત થઇ છે. આ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ રાજકીય ઉથલ પાથલ વચ્ચે હવે કોંગ્રેસને રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપતા રાજ્યસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને જીતવા માટે 35 મતની જરૂર પડશે. જેમાં ભાજપના 3 ઉમેદવારને જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. હાલ ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેમાં NCPના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104એ પહોંચે અને ભાજપને જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે. કોંગ્રેસ પાસે હાલ 73 ધારાસભ્યો છે. જો 73માંથી 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોય તો તેનું સંખ્યાબળ ઘટીને 68 થઈ જાય અને કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા માટે 35×2 એટલે કે 70 મત જોઈએ. પરંતુ 68 જ મત હોવાથી કોંગ્રેસના એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે.
Related Posts
*સિંધુ નદીમાં બસ ખાબકી, બાળકો સહિત 26 લોકોનાં મોત*
પાકિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ…
NDA સાથે મળી ચૂંટણીઓ લડશે RLD. ગાંધીનગર જિલ્લા અધ્યક્ષની નિમણુંક કરાઈ
NDA સાથે મળી ચૂંટણીઓ લડશે RLD. ગાંધીનગર જિલ્લા અધ્યક્ષની નિમણુંક કરાઈ ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના…
અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદ ના રામોલ પોલીસ સ્ટેશન ની વસ્ત્રાલ પોલીસ ચોકી દ્વારા આજ રોજ એક અનોખો કાર્યક્રમ રાખેલ તેમાં PI શ્રી કે.એસ.દવે…
