રાજ્યસભા ચૂંટણીને લઈ હાલ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. આજે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત થઇ છે. આ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ રાજકીય ઉથલ પાથલ વચ્ચે હવે કોંગ્રેસને રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપતા રાજ્યસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને જીતવા માટે 35 મતની જરૂર પડશે. જેમાં ભાજપના 3 ઉમેદવારને જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. હાલ ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેમાં NCPના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104એ પહોંચે અને ભાજપને જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે. કોંગ્રેસ પાસે હાલ 73 ધારાસભ્યો છે. જો 73માંથી 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોય તો તેનું સંખ્યાબળ ઘટીને 68 થઈ જાય અને કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા માટે 35×2 એટલે કે 70 મત જોઈએ. પરંતુ 68 જ મત હોવાથી કોંગ્રેસના એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે.
Related Posts
*📍લખનૌ: નિવૃત્ત બેંક અધિકારીની ડિજિટલી ધરપકડ કરવામાં આવી હતી અને પૈસા ઉપાડવામાં આવ્યા હતા*
*💫NEWS FLASH⚡* *📍લખનૌ: નિવૃત્ત બેંક અધિકારીની ડિજિટલી ધરપકડ કરવામાં આવી હતી અને પૈસા ઉપાડવામાં આવ્યા હતા* ➡ ડિજિટલ ધરપકડ…
*આજે – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે. *માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ*
……. *યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂર નથી* ………
ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક ભયંકર અકસ્માત થયો…
ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક ભયંકર અકસ્માત થયો…જેમાં ટ્રક અને બસ વચ્ચે થયેલ અકસ્માતમાં…
