રાજ્યસભા ચૂંટણીને લઈ હાલ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. આજે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત થઇ છે. આ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આ રાજકીય ઉથલ પાથલ વચ્ચે હવે કોંગ્રેસને રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપતા રાજ્યસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને જીતવા માટે 35 મતની જરૂર પડશે. જેમાં ભાજપના 3 ઉમેદવારને જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. હાલ ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેમાં NCPના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104એ પહોંચે અને ભાજપને જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે. કોંગ્રેસ પાસે હાલ 73 ધારાસભ્યો છે. જો 73માંથી 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોય તો તેનું સંખ્યાબળ ઘટીને 68 થઈ જાય અને કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા માટે 35×2 એટલે કે 70 મત જોઈએ. પરંતુ 68 જ મત હોવાથી કોંગ્રેસના એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે.
Related Posts
नर्मदा* बोगस डिग्री मामला: 2 लोगो की दिल्ली और अहमदाबाद से गिरफ्तार किया गया।
नर्मदा* बोगस डिग्री मामला: 2 लोगो की दिल्ली और अहमदाबाद से गिरफ्तार किया गया।
શહેરના યુવા *શ્રી કૃણાલ પારેખ* દ્વારા અનોખી ઝુંબેશ માનસિક તણાવ અનુભવતા લોકોને ઑનલાઇન માનસિક આરોગ્ય સપોર્ટ પૂરો પાડશે.
કૃણાલ પારેખ દ્વારા માનસિક આરોગ્ય સપોર્ટની પહેલ સમગ્ર વિશ્વમાં કોવિડ -19 ની હિટ સાથે, સાયકોલોજિકલ ડિસ્ટ્રેસ અને આઘાતનો ડર વધ્યો…
*📌મધ્યપ્રદેશની રાજનીતિમાં શબ્દોનું યુદ્ધ તેજ બની રહ્યું છે…* નેતાઓ એકબીજાને કોરોના કહી રહ્યા છે… જ્યારે મધ્ય પ્રદેશનાં મંત્રી તુલસી…
