*સુરત સિવિલ હોસ્પિટલમાં ૧૯ મુ અંગદાન*
……………
*અંગદાન થકી 4 લોકો ને નવ જીવન મળી શકે એવી સમજ હોસ્પિટલના તબીબો દ્વારા અપાતા માતા એ વ્હાલસોયાના અંગોનું દાન કર્યું અને હોળીના પવિત્ર દિવસે ૪ લોકો ના પરિવાર માં નવા રંગ ઉમેર્યા*

……………….
*અંકલેશ્વરના એક મુસ્લિમ યુવકના પરિવાર એ માનવતા મહેકાવી અને અંગદાન થી 4 પીડિત દર્દીઓનું જીવન બદલાયું*
……………………
*૨ કિડની અને ૧ લીવરના ૧ સ્વાદુપિંડ દાનથી ૪ દર્દીઓને નવજીવન*
…………….
*સમાજનો દરેક ધર્મ, વર્ગ અને જ્ઞાતી આજે અંગદાનના સેવાયજ્ઞમાં સ્વૈચ્છાએ જોડાઇ રહ્યો છે – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.ગણેશ ગોવેકર*
************************
સુરત સિવિલ હોસ્પિટલમાં અંકલેશ્વરના એક મુસ્લિમ યુવક સદ્દામ પઠાણ ખમીશા ના અંગોના દાન થી ૪ પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. ૭ મી માર્ચના રોજ બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોએ અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કરતા કુલ ૨ કિડની અને એક લીવર અને એક સ્વાદુપિંડ નું દાન મળ્યું છે.
અંગદાનમાં મળેલા આ અંગો ને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીઓમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે.
અંગદાન શું હોય છે… તેનું મહત્વ શું છે …તે કેવી રીતે કરવામાં આવે છે તે તમામ વિગતોથી આજે પણ ઘણાંય લોકો અજાણ છે.
૬ માર્ચ ના રોજ ખમીશા પરિવારના 23 વર્ષીય સદ્દામ પઠાણ ને ગોઝારો વાહન અકસ્માત નડ્યો.તેને સારવાર માટે તાત્કાલિક નજીક ના હોસ્પિટલ અને ત્યાંર બાદ સુરત સિવિલ હોસ્પીટલ લાવવામાં આવ્યા…સધન સારવાર અર્થે જ્યારે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તબીબોએ દિવસ-રાત અથાગ પરિશ્રમ થી તેમનો જીવ બચાવવાના તમામ પ્રયત્નો હાથ ધર્યા.૭ મી માર્ચ ના રોજ તબીબો દ્વારા અંતે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.. અલ્લાહ ને જાણે કૈક અલગ મંજુર હતું. પરિવારને જયતે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અંગદાન અંગેની સવિસ્તૃત સમજ આપવામાં આવી.તેનું મહત્વ સમજાવવામાં આવ્યુ. પરિવારજનોને એટલું તો ખબર પડી ગઇ કે આ એક દાન છે જેના થકી કોઇ વ્યક્તિને નવું જીવન મળે છે. આપણું સ્વજન તો આપણે ગુમાવી દીધું છે પરંતુ તેમના અંગો થકી કોઇક પરિવારના સ્વજનનો બચાવ થઇ શકતો હોય તો અંગદાન કેમ ન કરીએ … આ તમામ વિચાર સાથે પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.
જેના પરિણામે ૪ દર્દીઓમાં આ અંગોને પ્રત્યારોપણ કરવામાં આવ્યા અને નવજીવન આપવમાં સફળતા મળી .
.
સુરત સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. ગણેશ ગોવેકર જણાવે છે કે, આજે રાજ્યના શહેરી વિસ્તાર ઉપરાંત દૂર-સૂદૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને શિક્ષિત સાથે અશિક્ષિત વર્ગના સેવાભાવી લોકો પણ અંગદાનનું મહત્વ સમજીને આ સેવાયજ્ઞમાં જોડાયા છે.આ મુસ્લિમ પરિવારને અંગદાનની સમજ આપતા અંગદાનનો કરેલો ત્વરિત નિર્ણય દર્શાવે છે કે જીવ થી જીવ બચાવવાના યજ્ઞમાં લોકો સ્વૈચ્છાએ નિ:સ્વાર્થપણે જોડાઇ રહ્યા છે.
વધુમાં તેઓએ ઉમેર્યુ કે,સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 મહિનામાં કુલ 19 અંગદાન થયા છે. જેમાં કુલ 69 અંગોનું દાન મળ્યું છે જેના થકી 69 પીડિત વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
……………………..
