નવી દિલ્હીઃ દિલ્હીના હૈદરપુર ગામમાંથી એક હેન્ડ ગ્રેનેડ મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. જોકે આ હેન્ડ ગ્રેનેડમાં કાટ લાગેલો છે. હાલ એનએસજીની ટીમે આ હેન્ડ ગ્રેનેડને કબજામાં લીધો છો. સ્થાનિક લોકોએ હેન્ડ ગ્રેનેડ મળવાની માહિતી પોલીસ વિભાગને આપી હતી. પોલીસે આ હેન્ડગ્રેનેડને પોતાના તાબામાં લીધો હતો. ત્યાર બાદ પોલીસે એને એનએસજીની ટીમને સોંપ્યો હતો. જોકે તપાસ એ બાબતની થઈ રહી છે કે એ આવ્યો ક્યાંથી? શું એની પાછળ કોઈ મોટું ષડયંત્ર તો નથીને? હેન્ડ ગ્રેનેડ મોટા ભાગે આતંકવાદીઓ ઉપયોગ કરે છે. સુરક્ષા દળો અને નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હેન્ડ ગ્રેનેડ દ્વારા હુમલા કરે છે. હેન્ડ ગ્રેનેડથી જાનમાલનું ભારે નુકસાન થાય છે.
Related Posts
*ચકચારી લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક પહોંચ્યો 39 પર* ભાવનગર-અમદાવાદ સિવિલમાં કુલ 87 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ
*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ*
*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ* કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી…
આણંદઃ પોલીસે મોટી સંખ્યામાં દેશી બનાવટનો નકલી અંગ્રેજી દારુ બનાવીને વેચતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો
આણંદઃ સામાન્ય રીતે દેશી દારુ મીલાવટ વાળો અને નકલી દારુ મળ્યાનાં સમાચાર સામે આવતા હોય છે. પરંતુ આણંદમાં પોલીસે મોટી…
