નવી દિલ્હીઃ દિલ્હીના હૈદરપુર ગામમાંથી એક હેન્ડ ગ્રેનેડ મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. જોકે આ હેન્ડ ગ્રેનેડમાં કાટ લાગેલો છે. હાલ એનએસજીની ટીમે આ હેન્ડ ગ્રેનેડને કબજામાં લીધો છો. સ્થાનિક લોકોએ હેન્ડ ગ્રેનેડ મળવાની માહિતી પોલીસ વિભાગને આપી હતી. પોલીસે આ હેન્ડગ્રેનેડને પોતાના તાબામાં લીધો હતો. ત્યાર બાદ પોલીસે એને એનએસજીની ટીમને સોંપ્યો હતો. જોકે તપાસ એ બાબતની થઈ રહી છે કે એ આવ્યો ક્યાંથી? શું એની પાછળ કોઈ મોટું ષડયંત્ર તો નથીને? હેન્ડ ગ્રેનેડ મોટા ભાગે આતંકવાદીઓ ઉપયોગ કરે છે. સુરક્ષા દળો અને નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હેન્ડ ગ્રેનેડ દ્વારા હુમલા કરે છે. હેન્ડ ગ્રેનેડથી જાનમાલનું ભારે નુકસાન થાય છે.
Related Posts
ગુજરાતમાં લૉકડાઉન અંગે હાલ કોઈ વિચારણા નથી
ગુજરાતમાં લૉકડાઉન અંગે હાલ કોઈ વિચારણા નથી, જો જનતા યોગ્ય રીતે માસ્ક પહેરે, પહેરાવે, સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરે અને બિનજરૂરી…
આશા વર્કરો અને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન 18000 આપવાની માંગ સાથે નર્મદાની આશાવર્કર બહેનો ને કલેક્ટરને આવેદન આપ્યું.
આશા વર્કર બહેનો ની સરકારી કર્મચારી તરીકે ઘોષિત કરી લઘુતમ વેતન 18000 આપવા ની માંગ સાથે નર્મદાની આશાવર્કર બહેનો એક…
વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ, 20 દર્દીઓ અને કર્મીઓનું રેક્યૂ કરાયું
વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગતા ફાયર વિભાગની 10થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી છે. ફાયર વિભાગે…
