નવી દિલ્હીઃ દિલ્હીના હૈદરપુર ગામમાંથી એક હેન્ડ ગ્રેનેડ મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. જોકે આ હેન્ડ ગ્રેનેડમાં કાટ લાગેલો છે. હાલ એનએસજીની ટીમે આ હેન્ડ ગ્રેનેડને કબજામાં લીધો છો. સ્થાનિક લોકોએ હેન્ડ ગ્રેનેડ મળવાની માહિતી પોલીસ વિભાગને આપી હતી. પોલીસે આ હેન્ડગ્રેનેડને પોતાના તાબામાં લીધો હતો. ત્યાર બાદ પોલીસે એને એનએસજીની ટીમને સોંપ્યો હતો. જોકે તપાસ એ બાબતની થઈ રહી છે કે એ આવ્યો ક્યાંથી? શું એની પાછળ કોઈ મોટું ષડયંત્ર તો નથીને? હેન્ડ ગ્રેનેડ મોટા ભાગે આતંકવાદીઓ ઉપયોગ કરે છે. સુરક્ષા દળો અને નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હેન્ડ ગ્રેનેડ દ્વારા હુમલા કરે છે. હેન્ડ ગ્રેનેડથી જાનમાલનું ભારે નુકસાન થાય છે.
Related Posts
ભારતીય ક્રિકેટ ટીમના 3 ખેલાડીઓ કોરોના સંક્રમિત
ભારતીય ક્રિકેટ ટીમના 3 ખેલાડીઓ કોરોના સંક્રમિતશિખર ધવન, શ્રેયસ ઐયર, ઋતુરાજ કોરોના સંક્રમિત8 ભારતીય ક્રિકેટર અમદાવાદમાં સેલ્ફ આઈસોલેટેડભારતીય ટીમનો સપોર્ટિંગ…
રાષ્ટ્રવ્યાપી માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાવા સમર્થકોને અપીલ કરતું જામનગર ભાજપ સંગઠન*
જીએનએ જામનગર: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત ભારતીય જનતા પાર્ટીના ‘માઈક્રો ડોનેશન અભિયાન’ માં કાર્યકરો ઉપરાંત સમર્થકોને પણ…
મુખ્ય સમાચાર.
*સુરત લાડ લોહાણા સિંધી સમાજનું ગૌરવ* સુરતમાં CBSE ધો.10નું પરિણામ ગુજરાતનું રિઝલ્ટ 97.61% આવ્યું છે જેમાં હેતીક અડવાણીએ 94.40% લાવીને…
