ગાંધીનગર ગોકુળપુરાથી વાવોલ તરફ જતાં ક-રોડ પર અકસ્માતમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. એક્ટિવા પર ઘર તરફ જઈ રહેલી યુવતી નારાયણનગર નજીક અચાનક ડિવાઈડર સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી. રખડતા પશુઓ અને ગંદકીથી ઊભરાતા ક-રોડ પર ટ્રક જેવા મોટા વાહનોની સતત અવર-જવરના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક રહીશો લાંબા સમયથી આ રોડને ગંદકી અને પશુઓથી મુક્ત કરાવવા માગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર તેમની રજૂઆતો સાંભળતું નથી.અગાઉ ડિસેમ્બર મહિનામાં વાવોલની એક શિક્ષિકા પર ટ્રક ફરી વળતાં તેમનું મોત નિપજ્યુ હતું.રોડ પરથી પસાર થઈ રહેલાં ૩૨ વર્ષીય શિક્ષિકાએ ગંદા પાણીના ખાબોચિયાથી બચવા માટે મોપેડ વાળ્યુ હતું, પરંતુ અચાનક સ્લીપ થઈ ગયા હતા. રોડ પર પટકાયેલા શિક્ષિકા હજુ ઊભાં થાય તે પહેલાં એક ટ્રક યમદૂત બનીને આવી અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું
Related Posts
જય ગરવી ગુજરાત: સીએમની હાજરીમાં એમઓયુ, હવે ગુજરાતમાં કોપર ટ્યુબનું ઉત્પાદન થશે જીએનએ ગાંધીનગર: એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશન એપ્લીકેશનમાં વપરાશમાં…
સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ.
સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ. મોટીશેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી, ગલેમંડી મોટીશેરી અને ગુંદીશેરીના નાકા કરાયા…
રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય.
*SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી* *જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના…
