ગાંધીનગર ગોકુળપુરાથી વાવોલ તરફ જતાં ક-રોડ પર અકસ્માતમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. એક્ટિવા પર ઘર તરફ જઈ રહેલી યુવતી નારાયણનગર નજીક અચાનક ડિવાઈડર સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી. રખડતા પશુઓ અને ગંદકીથી ઊભરાતા ક-રોડ પર ટ્રક જેવા મોટા વાહનોની સતત અવર-જવરના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક રહીશો લાંબા સમયથી આ રોડને ગંદકી અને પશુઓથી મુક્ત કરાવવા માગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર તેમની રજૂઆતો સાંભળતું નથી.અગાઉ ડિસેમ્બર મહિનામાં વાવોલની એક શિક્ષિકા પર ટ્રક ફરી વળતાં તેમનું મોત નિપજ્યુ હતું.રોડ પરથી પસાર થઈ રહેલાં ૩૨ વર્ષીય શિક્ષિકાએ ગંદા પાણીના ખાબોચિયાથી બચવા માટે મોપેડ વાળ્યુ હતું, પરંતુ અચાનક સ્લીપ થઈ ગયા હતા. રોડ પર પટકાયેલા શિક્ષિકા હજુ ઊભાં થાય તે પહેલાં એક ટ્રક યમદૂત બનીને આવી અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું
Related Posts
પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપરહાઇવા ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર ચાલકને ટક્કર મારી અકસ્માત કરતા એક્ટિવા ચાલકનું મોત
પ્રતાપનગર બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપરહાઇવા ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર ચાલકને ટક્કર મારી અકસ્માત કરતા એક્ટિવા ચાલકનું મોત રાજપીપલા,…
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યસ્તરના કોરોના રસીકરણનો સીએમ વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ દ્વારા કરાયો શુભારંભ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યસ્તરના કોરોના રસીકરણનો સીએમ વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ દ્વારા કરાયો શુભારંભ.. અમદાવાદ :…
*હિન્દુ દેવી,દેવતા અને હિન્દુ ધર્મ ગ્રંથો ની અઘટિત નિંદા કેસ માં “તીસરી આઝાદી” ના પત્રકાર જ્હોન ડી’કોસ્ટા ને 3 વર્ષ કેદ ની સજા તથા રૂ. 10,000નો દંડ*
(૧) ખંભાત ના એડી. સિની. સિવિલ જજ અને એડી.ચીફ. જુ. મેજિ. (૨) ક્રિમીનલ કેસ ન. – ૧૨૨૧/૨૦૧૪ (૩) ભારતીય દંડ…
