શેર બજાર બાદ હવે દુનિયાભરમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે એક અગ્રણી ન્યૂઝ એજન્સીના રિપાર્ટ પ્રમાણે કોરોના વાયરસના કારણે ઓછી થઈ રહેલી બિઝનેસ ગતિવિધિઓના કારણે શેરબજારોમાં આવેલા ઘટાડા બાદ વેપારીઓએ પોતાને નુકસાનમાંથી બહાર લાવવા રોકાણકારોએ સોનાને વેચ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2013 પછી સોનાની કિંમતોમાં એક દિવસમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે.એક્સપર્ટનું માનવું છે કે, તેની અસર ઘરેલૂ બજાર ઉપર પણ જોવા મળશે, કારણ કે, સોનું મોંઘું થવાથી લગ્નસરાની સીઝનમાં પણ લોકો ખરીદીથી દૂર રહ્યા હતા. ગત અઠવાડિયે, ત્રીજા દિવસે સોનું પ્રતિ દસ ગ્રામથી વધારે સસ્તુ થઈ ગયું છે. આગામી સમયમાં સોનાની કિંમતોમાં 3000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.આગામી નીચલા સ્તરે થોડીક રિકવરી આવી શકે છે. પરંતુ મોટી તેજીની આશાઓ હવે નથી. ઘરેલૂ બજારમાં પણ સોનું 5-7 ટકા સુધી સસ્તુ થઈ શકે છે. એક્સપર્ટ જણાવે છે કે ઘરેલૂ બજારોમાં સોનાની કિંમતો 43,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી ઘટીને 39 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી આવી શકે છે.માર્ચ મહીનામાં દર વખતની જેમ સોનાના ભાવમાં ઘટાડો એક્સપર્ટ જણાવે છે કે, જો છેલ્લા 10 વર્ષોના આંકડા પર નજર નાખીએ તો માર્ચ મહિનામાં ઘણી વખત આપણે જોયું હશે કે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાય છે.
Related Posts
વિકાસને વેગવંતો બનાવવા આપણે હંમેશા તત્પર રહીએ- વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્ય 0000 રૂ.૪.૯૬કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ સીસીરોડનું વિધાનસભા…
અમદાવાદ ના ઓઢવ પયાઁવરણ મંદિર ખાતે શહેર પોલિસ એ કોરોના વોરિયસઁ પોલિસ જવાનો ને આપી શ્રધ્ધાંજલિ
શહેર પોલિસ કમિશ્ર્નર શ્રી સંજય શ્રી વાસ્તવ સાથે સંયુક્ત પોલિસ કમિશ્ર્નર તેમજ સેકટર-૨ અને દરેક ઝોન ના DCP અને ACP…
*રાજ્યમાં સૌ પ્રથમવાર વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી સંપૂર્ણ શક્તિપીઠના દર્શનનો લાભ લેતા માઈ ભક્તો*
*રાજ્યમાં સૌ પ્રથમવાર વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી સંપૂર્ણ શક્તિપીઠના દર્શનનો લાભ લેતા માઈ ભક્તો* અંબાજી, સંજીવ રાજપૂત: આરાસુરીની ગીરિકાંદરાઓ જય અંબે…
