ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે . 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં આ ટેસ્ટ રમાવાની છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રિપોર્ટ પ્રમાણે કેટલાક ગણતરીના લોકોને જ મેદાન પર જવા દેવામાં આવશે . આમ તો સાઉથ આફ્રિકામાં કોવિડના કારણે 2000 લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે , ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરિઝમાં બે હજાર લોકોને મેચ જોવા માટે મંજૂરી આપવામાં આવશે અને જો ઓમિક્રોનના કેસ ઘટયા તો વધારે દર્શકોને પણ જવા દેવામાં આવશે . જોકે હજી બીજી ટેસ્ટ માટે ટિકિટોનુ વેચાણ શરુ કરાયુ નથી.આ મેચ ત્રણ જાન્યુઆરીથી જોહિનિસબર્ગમાં રમાવાની છે .
Related Posts
રાજપીપળા નજીક જેસલપોર ગામે જમીનના ભાગ માંગવા બાબતે મારામારી, લાકડી વડે હુમલો.
રાજપીપળા નજીક જેસલપોર ગામે જમીનના ભાગ માંગવા બાબતે મારામારી, લાકડી વડે હુમલો. સામસામે 8 ઈસમો સામે ફરિયાદ. રાજપીપળા,તા. 3 રાજપીપળા…
ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહનની મદદથી વડોદરા ખાતે વિદ્યાર્થીઓ સુધી પહોંચતી ભારતીય વાયુસેના.
વડોદરા: ભારતીય વાયુસેનાનું ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહન (IPEV) તેના વિવિધ પાસાઓ બતાવવા માટે તેમજ સમગ્ર દેશમાં ઉમેદવારો/ મહત્વાકાંક્ષીઓના દ્વાર સુધી…
*અદાણી ગ્રુપનું ટેન્શન હાઇ* ઉત્તરપ્રદેશથી મળ્યો મોટો ફટકો 5400 કરોડનું મહત્વનું ટેન્ડર થયું કેન્સલ
