ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે . 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં આ ટેસ્ટ રમાવાની છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રિપોર્ટ પ્રમાણે કેટલાક ગણતરીના લોકોને જ મેદાન પર જવા દેવામાં આવશે . આમ તો સાઉથ આફ્રિકામાં કોવિડના કારણે 2000 લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે , ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરિઝમાં બે હજાર લોકોને મેચ જોવા માટે મંજૂરી આપવામાં આવશે અને જો ઓમિક્રોનના કેસ ઘટયા તો વધારે દર્શકોને પણ જવા દેવામાં આવશે . જોકે હજી બીજી ટેસ્ટ માટે ટિકિટોનુ વેચાણ શરુ કરાયુ નથી.આ મેચ ત્રણ જાન્યુઆરીથી જોહિનિસબર્ગમાં રમાવાની છે .
Related Posts
*ભૂલથી પણ ન કરો આવા કામ નહીં તો થઈ જશો કંગાળ – Sureshvadher*
વાસ્તુ શાસ્ત્ર (vastu shasktra) પ્રમાણે તમારા ઘરમાં વાસ્તુના યોગ્ય નિયમોનું પાલન ન થાય તો ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જા…
*અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું*
*અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને…
મુંબઈ : બોમ્બ ધમકીના કોલથી રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારવામાં આવી
મુંબઈ : બોમ્બ ધમકીના કોલથી રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારવામાં આવી
