રાજકોટ મહાનગર પાલિકા બાદ વડોદરા મહાનગરપાલિકા માં પણ મુખ્ય રસ્તા ઉપર વેચાતા નોનવેજની લારી બંધ કરવા ફરમાન ફરવાવમાં આવ્યું છેવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્થાયી સમિતિ અધ્યક્ષએ ગઈકાલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે.રાજકોટના મેયરે મુખ્ય રસ્તા ઉપર મટન મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે મરછી વેચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી તેના પગલે ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી હોટલ મચ્છી અને આમલેટની લારી ચલાવતા અને 10 દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપર થી હટી જવા સુચના આપવામાં આવે તેવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.સ્થાયી સમિતિ અધ્યક્ષએ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં મટન કે મચ્છીની દુકાન ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે તેને અટકાવવાના રહેશે તેમજ તેઓ અન્ય રીતે વેચાણ કરે એવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.
Related Posts
એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતો માટે સારા સમાચાર
ગાંધીનગર એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતો માટે સારા સમાચાર રાજ્ય સરકાર આપશે નોકરીમાં અગ્રીમતા દિવ્યાંગો માટેની તજજ્ઞ સમિતિનો નિર્ણય નપા,…
*ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન :- રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા*
*ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન :- રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ…
અમદાવાદ ખાતે 40મુ અંગદાન: ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારના લોકોએ અંગદાનનો નિર્ણય કર્યો* (ભાગ-1)*મોરબીના બ્રેઇનડેડ કાન્તિભાઇ ગરાળાના અંગદાનમાં મળેલી બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું
અમદાવાદ: કાન્તિભાઇ ગરાળા સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા.રસ્તામાં એકા-એક કુતરુ આવી જતા તેઓએ સંતુલન ગુમાવ્યું અને રસ્તા પર ઢળી…
