રાજકોટ મહાનગર પાલિકા બાદ વડોદરા મહાનગરપાલિકા માં પણ મુખ્ય રસ્તા ઉપર વેચાતા નોનવેજની લારી બંધ કરવા ફરમાન ફરવાવમાં આવ્યું છેવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્થાયી સમિતિ અધ્યક્ષએ ગઈકાલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે.રાજકોટના મેયરે મુખ્ય રસ્તા ઉપર મટન મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે મરછી વેચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી તેના પગલે ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી હોટલ મચ્છી અને આમલેટની લારી ચલાવતા અને 10 દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપર થી હટી જવા સુચના આપવામાં આવે તેવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.સ્થાયી સમિતિ અધ્યક્ષએ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં મટન કે મચ્છીની દુકાન ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે તેને અટકાવવાના રહેશે તેમજ તેઓ અન્ય રીતે વેચાણ કરે એવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.
Related Posts
*ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા ડો. શ્યામપ્રસાદ મુખરજી બલિદાન દિવસે “પુષ્પાંજલિ” અર્પણ કરાઈ* જામનગર: ભારતીય જનતા પાર્ટીના સહસંસ્થાપક ડો.…
આજ રોજ માન. પ્રદેશ પ્રમુખ શ્રી C R Paatil જી અને માન. કેન્દ્રીય મંત્રી શ્રી Parshottam Rupala જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ભાજપાની બેઠકમાં “વિડિયો કોન્ફરન્સ”ના માધ્યમથી ભાગ લઈ, સંગઠનના આગામી કાર્યો વિશે સવિસ્તાર ચર્ચા કરી.
આજ રોજ માન. પ્રદેશ પ્રમુખ શ્રી C R Paatil જી અને માન. કેન્દ્રીય મંત્રી શ્રી Parshottam Rupala જીની વિશેષ ઉપસ્થિતિમાં…
ભારત સરકર દ્વારા જ્યારથી અગ્નિપથની જાહેરાત કરી ત્યારથી દેશમાં જુદા જુદા ક્ષેત્રોમાં દંગાફસા શરૂ થયા હતા જેમાં દેશની સંપત્તિને કરોડોનું…
