સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં સુનાવણી દરમિયાન તારણ કાઢ્યું છે કે, કસ્ટડીની લડાઈમાં નુકશાન હંમેશા બાળકોનું જ થાય છે. કોર્ટે જણાવ્યું હતું કે, વાસ્તવમાં તો સંતાનો પીડિત હોય છે, કોઈ વાંક ન હોવા છતાં પણ. કોર્ટની આ બેંચે કહ્યું હતું કે, કોર્ટે કસ્ટડીના કેસમાં હંમેશા બાળકોના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, છૂટાછેડા લેવાથી મા બાપની તેમના પ્રત્યેની જવાબદારી પુરી થઈ જતી નથી. જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું હતું કે, સંરક્ષણના કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે બાળકોના હિતને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. કોર્ટે ભાર આપીને જણાવ્યું હતું કે, જો મધ્યસ્થતાની પ્રક્રિયાથી આ મામલામાં સમાધાન થતુ હોય ઠીક છે, નહીંતર આવા કેસમાં ઝડપથી નિપટારો લાવવો જોઈએ. કેમ કે, આવા કેસમાં જ્યારે મોડુ થતું હોય છે, તેના કારણે સંતાનોને તેની મોટી કિંમત ચુકવવી પડે છે.
Related Posts
શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસનો ઝરૂખો એટલે પલિયડ
શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસનો ઝરૂખો એટલે મારું ભારત.જ્યાં અનેક દેવી દેવતાઓની પૂજા અર્ચના આદિ કાળથી થતી આવી છે અને સદાકાળ સુધી…
*અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 4 આતંકી ઠાર, ઈન્ટરનેટ સેવા બંધ*
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાં…
અમદાવાદ કોરોનાના નવા કેસમાં વધારો આજે કોરોનાના 105 કેસ નોંધાયા
અમદાવાદ કોરોનાના નવા કેસમાં વધારો આજે કોરોનાના 105 કેસ નોંધાયા
