સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં સુનાવણી દરમિયાન તારણ કાઢ્યું છે કે, કસ્ટડીની લડાઈમાં નુકશાન હંમેશા બાળકોનું જ થાય છે. કોર્ટે જણાવ્યું હતું કે, વાસ્તવમાં તો સંતાનો પીડિત હોય છે, કોઈ વાંક ન હોવા છતાં પણ. કોર્ટની આ બેંચે કહ્યું હતું કે, કોર્ટે કસ્ટડીના કેસમાં હંમેશા બાળકોના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, છૂટાછેડા લેવાથી મા બાપની તેમના પ્રત્યેની જવાબદારી પુરી થઈ જતી નથી. જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું હતું કે, સંરક્ષણના કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે બાળકોના હિતને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. કોર્ટે ભાર આપીને જણાવ્યું હતું કે, જો મધ્યસ્થતાની પ્રક્રિયાથી આ મામલામાં સમાધાન થતુ હોય ઠીક છે, નહીંતર આવા કેસમાં ઝડપથી નિપટારો લાવવો જોઈએ. કેમ કે, આવા કેસમાં જ્યારે મોડુ થતું હોય છે, તેના કારણે સંતાનોને તેની મોટી કિંમત ચુકવવી પડે છે.
Related Posts
આઈએનએસ વાલસુરા, જામનગર ખાતે અગ્નિવીરની પ્રથમ બેચ માટે ભરતી ચાલુ જીએનએ જામનગર: અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર (SSR) અને અગ્નિવીર (MR)…
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.26/10/2020*
*ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિત્તે વીરકુમારે તેમના નાનાજી ના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી* ગાંધીનગર: દશેરા પર્વ પર શસ્ત્રપૂજાનું ઘણું મહત્વ…
PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે PM મોદી, 14-15 ડિસેમ્બરના PM મોદી કચ્છ આવશે.
PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવશે PM મોદી, 14-15 ડિસેમ્બરના PM મોદી કચ્છ આવશે. માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું…
