સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં સુનાવણી દરમિયાન તારણ કાઢ્યું છે કે, કસ્ટડીની લડાઈમાં નુકશાન હંમેશા બાળકોનું જ થાય છે. કોર્ટે જણાવ્યું હતું કે, વાસ્તવમાં તો સંતાનો પીડિત હોય છે, કોઈ વાંક ન હોવા છતાં પણ. કોર્ટની આ બેંચે કહ્યું હતું કે, કોર્ટે કસ્ટડીના કેસમાં હંમેશા બાળકોના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, છૂટાછેડા લેવાથી મા બાપની તેમના પ્રત્યેની જવાબદારી પુરી થઈ જતી નથી. જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું હતું કે, સંરક્ષણના કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે બાળકોના હિતને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. કોર્ટે ભાર આપીને જણાવ્યું હતું કે, જો મધ્યસ્થતાની પ્રક્રિયાથી આ મામલામાં સમાધાન થતુ હોય ઠીક છે, નહીંતર આવા કેસમાં ઝડપથી નિપટારો લાવવો જોઈએ. કેમ કે, આવા કેસમાં જ્યારે મોડુ થતું હોય છે, તેના કારણે સંતાનોને તેની મોટી કિંમત ચુકવવી પડે છે.
Related Posts
સોલા મોડિકલ કોલેજના ઇન્ટર્નશીપ ડોકટર માટે જિલ્લાવહિવટીતંત્ર દ્વારા
રહેવાની અલાયદી વ્યવસ્થા કરવામા આવી.
‘’આપણે સૌએ કોરોનાને હરાવવાનો છે અને હરાવીને જ રહીશું એ મંત્ર ને જીવનમંત્ર બનાવો સોલા મોડિકલ કોલેજના ઇન્ટર્નશીપ ડોકટર માટે…
*પાટણ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી અનોખી માંગ કરી.*
*પાટણ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી અનોખી માંગ કરી.* કોર્ટ મેરેજમાં માં બાપની સંમત્તિ માટેનો કાયદો બનાવવા કરી…
ગુજરાત મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા મહારાષ્ટ્રની બોર્ડર ધનસુરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ
નર્મદા બ્રેકીંગ : ગુજરાત મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા મહારાષ્ટ્રની બોર્ડર ધનસુરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ મહારાષ્ટ્રમાંથી ૭૨ કલાક પહેલાં…
