સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં સુનાવણી દરમિયાન તારણ કાઢ્યું છે કે, કસ્ટડીની લડાઈમાં નુકશાન હંમેશા બાળકોનું જ થાય છે. કોર્ટે જણાવ્યું હતું કે, વાસ્તવમાં તો સંતાનો પીડિત હોય છે, કોઈ વાંક ન હોવા છતાં પણ. કોર્ટની આ બેંચે કહ્યું હતું કે, કોર્ટે કસ્ટડીના કેસમાં હંમેશા બાળકોના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, છૂટાછેડા લેવાથી મા બાપની તેમના પ્રત્યેની જવાબદારી પુરી થઈ જતી નથી. જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું હતું કે, સંરક્ષણના કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે બાળકોના હિતને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. કોર્ટે ભાર આપીને જણાવ્યું હતું કે, જો મધ્યસ્થતાની પ્રક્રિયાથી આ મામલામાં સમાધાન થતુ હોય ઠીક છે, નહીંતર આવા કેસમાં ઝડપથી નિપટારો લાવવો જોઈએ. કેમ કે, આવા કેસમાં જ્યારે મોડુ થતું હોય છે, તેના કારણે સંતાનોને તેની મોટી કિંમત ચુકવવી પડે છે.
Related Posts
વેફર્સ ને નમકીનના માર્કેટમાં સિંહફાળો ધરાવતી, લેય’સ અને અન્ય અનેક મલ્ટીનેશનલ બ્રાન્ડ્સને વરસોથી હંફાવતી આપણાં રાજકોટની બાલાજી વેફર્સ એન્ડ નમકીનના ઉદય, ઉદ્યમ અને ઉત્કૃષ્ટ ઉત્કર્ષની ગાથા સૌએ જાણવા જેવી છે.
ખાસ કરીને જે યુવાનોમાં નોકરીને બદલે પોતાનો જ કોઈ નાનો-મોટો બિઝનેસ કરવાની ધખના છે. એમણે આજે, શનિવાર 5મી ડિસેમ્બર 2020ના…
ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ” રોડ સેફ્ટી ઓથોરીટીની વેબસાઇટ” નું લોન્ચીંગ તથા ”સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટનનું”…
જામનગરમાં ભારતીય વાયુસેનાના તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે અદ્દભૂત અને હેરતઅંગેજ કરતબો રજૂ કર્યા. જીએનએ જામનગર: આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરુપે…
