ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે બિનઅનામત વર્ગના આગેવાનો સાથે સરકારની બેઠક પૂર્ણ થઈ છે. અંદાજે બે કલાક થઈ બેઠક છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી. નીતિન પટેલ પહોંચ્યા બાદ પ્રદિપસિંહ જાડેજા સાથે વાત કરી. જે બાદ બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક શરૂ કરવામાં આવી.આ બેઠકમાં ભરત રાવલ, એ.કે. પટેલ, રાજ શેખાવત, પૂર્વીન પટેલ,અમિત દવે,દિનેશ બાંભણીયા રમજૂભા જાડેજા અને યજ્ઞેશ દવે છે. બિન સચિવાલય પરીક્ષાનો વિવાદ હતો તેમાં પણ સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવનારા રમજૂબા જાડેજાને પણ સરકારે આ વખતે મધ્યસ્થી તરીકે સાથે રાખ્યા. આ બેઠકમાં આંદોલન કરી રહેલી મહિલાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતું.
Related Posts
*રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ..*
*રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ..* રાધનપુર, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં રાધનપુર માં…
*ઈન્ટરનેટ વાપરવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર નથીઃ કેન્દ્ર સરકાર*
નવી દિલ્હી જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેન્દ્રીય સંદેશવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે…
રાજકોટનાં છાપરા નજીક કાર તણાઇ
બ્રેકિંગ ન્યૂઝ:રાજકોટનાં છાપરા નજીક કાર તણાઇપેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઇi-20 કારમાં સવાર હતા ત્રણ લોકોત્રણમાંથી એકનો થયો બચાવબાકીનાં બેની થઇ…
