એપીએમસી તુવેર કૌભાંડ સમયના અનેક ખેડૂતોના બિલ હજુ બાકી છે ત્યારે પ્રાંસલી ગામના ખેડૂતોએ બાકી બિલ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક ચુકવણી કરવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોના હજુ ૬૦ કરતાં વધુ બિલ બાકી હોવાનું અનુમાન છે. કેશોદના પ્રાંસલી, ચીત્રીના ઝણવાવ તેમ જ ડેરવાણના ૨૪ કરતાં વધુ ખેડૂતોએ ગત વર્ષે એપ્રિલમાં કેશોદ એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન જ તુવેરમાં ભેળસેળનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું જેના કારણે સરકારે ખેડૂતોનું પેમેન્ટ અટકાવી દીધું હતું.
Related Posts
*એક્સીસ બૅન્કના લાભોથી કર્મચારીઓને માહિતગાર કરી સેલેરી એકાઉન્ટ ખોલાવતી માનકુવા પોલીસ*
પ્રેસનોટ તા.૦૧/૦૭/૨૦૨૩ *એક્સીસ બૅન્કના લાભોથી કર્મચારીઓને માહિતગાર કરી સેલેરી એકાઉન્ટ ખોલાવતી માનકુવા પોલીસ* શ્રી જે.આર. મોંથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી…
કેન્દ્રીય સંયુકત સચિવ ડી.થારા. કેવડીયા કોલોની ખાતે બેઠક યોજીને થારાએ જિલ્લાની કામગીરી-પ્રગતિની કરેલી સમીક્ષા.
એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા જિલ્લો સર્વાગી વિકાસ સાથે સમગ્ર દેશમાં અગ્રેસર રહે તે માટે રચનાત્મક સૂચનો સાથે ટીમ નર્મદાને આહવાન કરતા કેન્દ્રીય…
હોસ્પિટલમાં વિઝીટ લેતી વખતે. – ખાસ અગત્યની માહિતી..
હોસ્પિટલમાં વિઝીટ લેતી વખતે (1)ઈમરજન્સી ન હોય તો એપોઇન્ટમેન્ટ લઈ ને જાવ. (2)તમારા ટાઈમ પર જરૂરી પેપર,અગાઉ ની દવા ,પાણી…
