ગાંધીનગર: કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ટેન્ટ સિટી ખાતે તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશનાં તમામ રાજ્યોના પ્રવાસન પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. આ પરિષદનો વિષય ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ છે. ૧૩ ફેબ્રુઆરીના રોજ પરિષદનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) પ્રહલાદસિંહ પટેલ, ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી, કેન્દ્રીય પ્રવાસન વિભાગના ડાયરેક્ટર જનરલ, સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
Related Posts
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા
*મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા* • *રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી,…
નર્મદા જિલ્લાએ આજે કોરોનાનો વધુએક રેકોર્ડ તોડી નવો વિક્રમ સર્જ્યો
બ્રેકીંગ નર્મદા ન્યૂઝ : નર્મદા જિલ્લાએ આજે કોરોનાનો વધુએક રેકોર્ડ તોડી નવો વિક્રમ સર્જ્યો આજે નર્મદામા સૌથી વધુ કેસ કુલ-૪૭…
મોટા સમાચારઃ ઠાકરે સરકાર વિધાનસભા બરખાસ્ત કરશે! સંજય રાઉતે આપ્યા સંકેત… શિવસેના નેતા એકનાથ શિંદેના બળવાને કારણે મહાવિકાસ આઘાડી…
