ગાંધીનગર: કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ટેન્ટ સિટી ખાતે તારીખ ૧૩ થી ૧૫ ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશનાં તમામ રાજ્યોના પ્રવાસન પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. આ પરિષદનો વિષય ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ છે. ૧૩ ફેબ્રુઆરીના રોજ પરિષદનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.અખિલ ભારતીય પ્રવાસન પ્રધાનોની પરિષદમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) પ્રહલાદસિંહ પટેલ, ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી, કેન્દ્રીય પ્રવાસન વિભાગના ડાયરેક્ટર જનરલ, સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
Related Posts
બનાસકાંઠાના અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 ધજા અપાઈ.
અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં…
નર્મદા જિલ્લામાં કોરોના વેક્સીનેશન 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ.
નર્મદા જિલ્લામાં કોરોના વેક્સીનેશન 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ. જિલ્લાના કુલ- 108 જેટલાં કેન્દ્રો ખાતે કોરોના વેક્શીનેશનની થઇ રહેલી કામગીરી…
રાજપીપલા કોવિદ હોસ્પિટલ સત્તાવાળા રિપોર્ટ મા આંકડાની માયાજાળ
બ્રેકીંગ નર્મદા ન્યૂઝ : રાજપીપલા કોવિદ હોસ્પિટલ સત્તાવાળા રિપોર્ટ મા આંકડાની માયાજાળ આજે સાંજે 6વાગ્યા ના રિપોર્ટમાં નર્મદામા 23કેસ બતાવાયા…
