નર્મદા બ્રેકીંગ
નર્મદા જિલ્લાના સાગ બારા તાલુકાના ભવરિસાવર ગામનીભવરિસાવર આશ્રમ શાળાના બે શિક્ષક કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. જેમા આઆશ્રમ શાળા માં 5 શિક્ષક છે જેમાં થી 2 શિક્ષક કોરોના પોઝિટિવ આવતા બંને શિક્ષકો ને હાલ રજા આપી હોમકોરોન્ટાઇન કરી દેવા આવ્યા છે છે જોકે આ બન્ને શિક્ષકો 1)અશોક ભાઈ ચૌધરીતથા 2) રમેશ ભાઈ વસાવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આશ્ચર્યનીવાત એ છે કે આ બન્ને શિક્ષકોએ કોરાના વેકસીનનો પહેલો ડોઝ થોડા દિવસ પહેલા લીધી હતી છતા પણ આ બન્ને શિક્ષકો નો રિપોર્ટપોઝિટિવ આવતા આ શિક્ષકો સહિત પરિવાર જનો તથા આરોગ્ય તંત્ર પણ સફાળું
ચોંકી ઉઠયુ હતું.
આ અંગે ટેલીફોનીક મૂલાકાત મા નર્મદા જિલ્લા ના આશ્રમ શાળાના તકેદારી અધિકારી એસ એમ ગરાસીયાએજણાવ્યુ હતું કે
આબંને શિક્ષકો ને રજા આપી હોમ કોરનટાઈન કરાયા છે.ભવરિસાવર આશ્રમ શાળા ધોરણ 6થી 8ના કૂલ 39 વિધાર્થીઓ અભ્યાસ કરે છે અનેકૂલ 5 શિક્ષકો ફરજ પર હતા. તે પૈકી બે શિક્ષકો નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનેહોમ કોર નટાઈન કર્યા બાદ અન્ય શિક્ષકો અને
શાળા માં રહેતા તમામ વિધાર્થીઓ ના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા છે જે ચેકકરતા તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું .અને આજથી 15દિવસ માટે આશ્રમ શાળા બંધ કરી દેવામા આવી છે. બાળકોનેઘરે મોકલી દેવામા આવ્યા છે.
હાલઆશ્રમ શાળા હાલ બન્ધ કરવામાં આવી છે પણ ઓન લાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખવા મા આવ્યુ હોવાનુ અધિકારી એસ એમ ગરાસિયાએ જણાવ્યુ હતું.
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા
