નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસ દિલ્હીમાં એક પણ સીટ જીતી શકી નહોતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આ હેટટ્રિક છે. તેણે બીજી વાર પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી
Related Posts
કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. શિક્ષણ નીતિ 34 વર્ષ પછી બદલાઈ ગઈ છે. નવી શિક્ષણ નીતિ વિશે નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે:
કેબિનેટે નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. શિક્ષણ નીતિ 34 વર્ષ પછી બદલાઈ ગઈ છે. નવી શિક્ષણ નીતિ…
*VGGS24: UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી સાથે મુલાકાત બેઠક યોજતા મુખ્યમંત્રી*
*VGGS24: UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી સાથે મુલાકાત બેઠક યોજતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ…
*દાર્જિલિંગ ઓછી કિંમતમાં દાર્જિલિંગની ટૂર પેકેજ*
ભારતીય રેલ્વે દાર્જિલિંગ માટે એક ખાસ ટુર પેકેજ લઈને આવ્યુ છે. 6 દિવસ અને 5 રાત્રીના આ ટૂર પેકેજમાં દાર્જિલિંગના…
