નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસ દિલ્હીમાં એક પણ સીટ જીતી શકી નહોતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આ હેટટ્રિક છે. તેણે બીજી વાર પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી
Related Posts
આવો જોડાઓ અમારી સાથે! 🤝 આપણે ઇચ્છીએ છીએ તે ભવિષ્ય માટે અને * 📍મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા* ને રોકવા 🚫 પ્રતિજ્ઞા લઇએ
આવો જોડાઓ અમારી સાથે! 🤝 આપણે ઇચ્છીએ છીએ તે ભવિષ્ય માટે અને * 📍મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા* ને રોકવા…
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અમદાવાદ: એકાત્મ માનવ વાદના પ્રણેતા પંડિત દીનદયાળજીની જન્મ…
મહેસાણા યાત્રાધામ બહુચરાજી વ્યંઢળ સમાજે આપ્યું દાન
મહેસાણા યાત્રાધામ બહુચરાજી વ્યંઢળ સમાજે આપ્યું દાન શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિમાં 51000 નું આપ્યુ અનુદાન મનિસામાસી, સુધામાસી, ગીતામાસી,…
