ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં ભણતા એવા વિદ્યાર્થીઓ કે જેઓની આર્થીક સ્થિતી નબળી છે તથા કોલેજની ફી પણ ભરી શકે તેમ નથી તેવા વિદ્યાર્થીઓને સ્વ પૂર્વી દલાલ ટ્રસ્ટ ધ્વારા સ્કોલરશીપ આપીને કોલેજની ફી પરત કરવામાં આવે છે. છેલ્લા ૫ વર્ષથી આ ટ્રસ્ટ ધ્વારા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સામાજીક સંગઠનોની જવાબદારી જરૂરીયાતમંદ લોકોને સહાય પૂરી પાડવાની છે. સમાજમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેની આર્થીક સ્થિતી સારી નાં હોવાથી ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી. પરંતુ આવા વિદ્યાર્થીઓને પૂરતી મદદ મળી જાય તો તેમનું કુટુંબ તરી જાય છે. આજ રોજ કોલેજનાં વિદ્યાર્થીઓને ફીની સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આવા સંગઠનોથી સમાજ તંદુરસ્ત બને છે તથા આવી સેવાકીય પ્રવૃતિઓથી માનવતા મન્હેંકી ઉઠે છે.
Related Posts
ગિરનારમાં 130 કરોડના ખર્ચે બનેલા રોપવેમાં દોઢ વર્ષમાં 56 કરોડની આવક થઇ, હવે રોપવે કેબિન સંગીતમય બનશે જૂનાગઢ: ગિરનાર…
*રાજ્ય સરકાર સતત સુરક્ષા અને સલામતી માટે લોકોની સાથે છે : રાજ્ય શિક્ષણમંત્રી*
*રાજ્ય સરકાર સતત સુરક્ષા અને સલામતી માટે લોકોની સાથે છે : રાજ્ય શિક્ષણમંત્રી* જીએનએ કચ્છ: બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે…
નર્મદા
જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૯૩૮ થઈ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી…
