ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં ભણતા એવા વિદ્યાર્થીઓ કે જેઓની આર્થીક સ્થિતી નબળી છે તથા કોલેજની ફી પણ ભરી શકે તેમ નથી તેવા વિદ્યાર્થીઓને સ્વ પૂર્વી દલાલ ટ્રસ્ટ ધ્વારા સ્કોલરશીપ આપીને કોલેજની ફી પરત કરવામાં આવે છે. છેલ્લા ૫ વર્ષથી આ ટ્રસ્ટ ધ્વારા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સામાજીક સંગઠનોની જવાબદારી જરૂરીયાતમંદ લોકોને સહાય પૂરી પાડવાની છે. સમાજમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેની આર્થીક સ્થિતી સારી નાં હોવાથી ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી. પરંતુ આવા વિદ્યાર્થીઓને પૂરતી મદદ મળી જાય તો તેમનું કુટુંબ તરી જાય છે. આજ રોજ કોલેજનાં વિદ્યાર્થીઓને ફીની સ્કોલરશીપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આવા સંગઠનોથી સમાજ તંદુરસ્ત બને છે તથા આવી સેવાકીય પ્રવૃતિઓથી માનવતા મન્હેંકી ઉઠે છે.
Related Posts
*📍સીરિયન બળવાખોરો ઝડપથી આગળ વધી રહ્યા છે. હમા અને હોમ્સ પર કબજો*
*📍સીરિયન બળવાખોરો ઝડપથી આગળ વધી રહ્યા છે. હમા અને હોમ્સ પર કબજો* એચટીએસની આગેવાની હેઠળના સીરિયન બળવાખોરોએ હમાના લશ્કરી એરપોર્ટ…
ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત
*BREAKING*ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત ચાંદખેડા પોલીસ દ્વારા કરાઈ અટકાયત આવતીકાલે ગાંધીનગર ખાતે કરવાના હતા…
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગર શહેરની નર્સિંગ-ફિઝિયોથેરપી કોલેજની વિદ્યાર્થીઓઓનું ‘કોરોના વોરીઅર્સ’ તરીકે સન્માન
17 વિદ્યાર્થીનીઓ અને ૬ વિદ્યાર્થી થઈને કુલ ૨૩ વિદ્યાર્થીઓ કોરોના વોરીઅર્સ પ્રથમ તબક્કામાં જોડાયા હતા. – કોરોના વોરીઅર્સ તરીકે સેવા…
