કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ દિલ્હીની ચૂંટણીમાં જાહેરસભા દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી પર બરાબરના પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં પોતાની પહેલી ચૂંટણી સભા કરી રહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. તેમણે પોતાના ભાષણમાં મોદી અને સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારી કંપનીઓમાં રોકાણ પર રાહુલ બોલ્યા કે, તમામ લોકો કહી રહ્યા છે કે, મેડ ઈન ચાઈનાથી દેશને ખતરો છે, દરેક લોકો ભારત તરફ જોઈ રહ્યા છે અને કહે છે કે, શું તમે ચીનને ટક્કર આપી શકશો. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોદીએ મેક ઈન ઈન્ડિયાનું સૂત્ર આપ્યું હતું, પણ ફેક્ટ્રી નથી લગાવતા, હવે બધુ વેચવા બેઠા છે.ઈન્ડિયન ઓઈલ, એર ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, લાલ કિલ્લો, કાલે તાજમહેલ પણ વેચી દેશે
Related Posts
*ICM NEWS…આજે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષ રાજકોટની લેશે મુલાકાત*
૧૨ મી માર્ચે રાજપીપલા ખાતે આઝાદીના અમૃત મહોત્સવની થનારી ઉજવણી
“બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી સમાજનો પડકાર” થીમ ઉપર યોજાશે કાર્યક્રમ નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ઉજવણીના સુચારૂં આયોજન…
*📍દાહોદમાં બુથ કેપ્ચરીંગનો મામલો*
*📍દાહોદમાં બુથ કેપ્ચરીંગનો મામલો* સંતરામપુર નાં પરથમપુરા બુથ પર ફરી થશે મતદાન. કેન્દ્રીય ચૂંટણી પંચે રી-પોલિંગનો આદેશ આપ્યો.
