કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ દિલ્હીની ચૂંટણીમાં જાહેરસભા દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી પર બરાબરના પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં પોતાની પહેલી ચૂંટણી સભા કરી રહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. તેમણે પોતાના ભાષણમાં મોદી અને સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારી કંપનીઓમાં રોકાણ પર રાહુલ બોલ્યા કે, તમામ લોકો કહી રહ્યા છે કે, મેડ ઈન ચાઈનાથી દેશને ખતરો છે, દરેક લોકો ભારત તરફ જોઈ રહ્યા છે અને કહે છે કે, શું તમે ચીનને ટક્કર આપી શકશો. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોદીએ મેક ઈન ઈન્ડિયાનું સૂત્ર આપ્યું હતું, પણ ફેક્ટ્રી નથી લગાવતા, હવે બધુ વેચવા બેઠા છે.ઈન્ડિયન ઓઈલ, એર ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, લાલ કિલ્લો, કાલે તાજમહેલ પણ વેચી દેશે
Related Posts
શબ ને અગ્નિદાહ આપવા માટે પણ મારવા પડી રહ્યા છે વલખા
અમદાવાદ ના ખોખરા મા કોવિડ મા મૃત્યુ પામેલ એક પરિવાર મા શબ ને અગ્નિદાહ આપવા માટે પણ મારવા પડી રહ્યા…
સર્વે સન્તુ નિરામયા: અમદાવાદ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે શુભારંભ
અમદાવાદ: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ સ્થિત સિંગરવા ગામ થી જિલ્લા કક્ષાના નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો…
ગુજરાત ATSનું સફળ ઓપરેશન. સુરતના કૃખ્યાત માથાભારે સજ્જુ કોઠારીની મુંબઈથી કરવામાં આવી ધરપકડ
અમદાવાદ: ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ સુરતના માથેભારે સજ્જુ ગેંગના મુખ્ય સૂત્રધારને ગુજરાત ATSએ મુંબઇથી ધરપકડ કરી છે. ગંભીર ગુનાઓને આચરતી આ…
