કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ દિલ્હીની ચૂંટણીમાં જાહેરસભા દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી પર બરાબરના પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં પોતાની પહેલી ચૂંટણી સભા કરી રહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. તેમણે પોતાના ભાષણમાં મોદી અને સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારી કંપનીઓમાં રોકાણ પર રાહુલ બોલ્યા કે, તમામ લોકો કહી રહ્યા છે કે, મેડ ઈન ચાઈનાથી દેશને ખતરો છે, દરેક લોકો ભારત તરફ જોઈ રહ્યા છે અને કહે છે કે, શું તમે ચીનને ટક્કર આપી શકશો. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોદીએ મેક ઈન ઈન્ડિયાનું સૂત્ર આપ્યું હતું, પણ ફેક્ટ્રી નથી લગાવતા, હવે બધુ વેચવા બેઠા છે.ઈન્ડિયન ઓઈલ, એર ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, લાલ કિલ્લો, કાલે તાજમહેલ પણ વેચી દેશે
Related Posts
જામનગરના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો..
જામનગરના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.. જામનગર: અન્ન અને પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) કોરોના સંક્રમિત. તેમનો…
બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત…
*હારીજ ખાતે ફાંટાવાળા જોગણીમાતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ યોજાયો*
*હારીજ ખાતે ફાંટાવાળા જોગણીમાતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ યોજાયો* પાટણ : એ.આર. એબીએનએસ : પાટણ જિલ્લાનાં હારીજ ખાતે 13 એપ્રિલનાં…
