રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇ મોટા સમાચારઃ દિવાળી બાદ પણ શાળાઓ નહીં થાય શરૂ, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે (Ministry of Education) સ્કૂલો ફરીથી ખોલવાને લઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) અને દિશા નિર્દેશ 5 ઓક્ટોબરે જાહેર કર્યા હતા. એસઓપીમાં સ્વાસ્થ્ય, સફાઈ, સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે (Dr. Ramesh Pokhriyal Nishank) કહ્યું, મને આશા છે કે રાજ્યો એસઓપીનું સારી રીતે પાલન કરશે.કોઈ પણ વિદ્યાર્થીને જબરદસ્તીથી સ્કૂલમાં બોલાવી નહીં શકાય. વાલીઓની મંજૂરી પછી જ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ અપાશે.
- સ્કૂલમાં બેસતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું પડશે.સ્કૂલ આવવા અને જવાનું ટાઈમ ટેબલ બનાવી તેનું પાલન કરાવવું પડશે.
- તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે માસ્ક પહેરી રાખવું પડશે.

