મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું કહેવું છે કે માત્ર પાઘડી બદલવી પૂરતી નથી. કપડામાં પણ મરાઠી ઝલક દેખાવી જોઈએ. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પણ કહ્યું કે મરાઠી અસ્મિતા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં.મનસેના મુંબઈ સચિવ સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે ટ્રેન હોસ્ટેસના કપડામાં સંપૂર્ણ રીતે ગુજરાતી કાઠિયાવાડી સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું છે. ગુજરાતી સંસ્કૃતિનો વિરોધ નથી પણ મરાઠી અસ્મિતાનું સન્માન થવું જોઈએ.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ટ્રેન અમદાવાદથી મુંબઈ આવી રહી છે તો તેમાં માત્ર એક રાજ્યની સંસ્કૃતિ કેમ દર્શાવાઈ? તેજસ ટ્રેનમાં મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને અસ્મિતા પણ દેખાવી જોઈએ
Related Posts
*📍રૂપાલા વિવાદ હજુ પણ નથી પડ્યો થાળે*
*📍રૂપાલા વિવાદ હજુ પણ નથી પડ્યો થાળે* કરણીસેના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહનુ નિવેદન ‘ગોંડલમાં થયેલું સમાધાન એ સમાધાન નથી’…
રવિવારે કચ્છ ભાજપ દ્વારા ગાંધીધામમાં વિરાટ જનસભા
રવિવારે કચ્છ ભાજપ દ્વારા ગાંધીધામમાં વિરાટ જનસભા સમગ્ર ભારતવર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના યશસ્વી નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે…
પાવાગઢવાળી મહાકાળી માતાના દર્શન હવે મોંઘા પડશે! રોપ વેના ભાડામાં વધારો કરાયો
પાવાગઢવાળી મહાકાળી માતાના દર્શન હવે મોંઘા પડશે! રોપ વેના ભાડામાં વધારો કરાયો :યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વેની સેવાના ભાડામાં ઉષા…
