મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું કહેવું છે કે માત્ર પાઘડી બદલવી પૂરતી નથી. કપડામાં પણ મરાઠી ઝલક દેખાવી જોઈએ. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પણ કહ્યું કે મરાઠી અસ્મિતા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં.મનસેના મુંબઈ સચિવ સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે ટ્રેન હોસ્ટેસના કપડામાં સંપૂર્ણ રીતે ગુજરાતી કાઠિયાવાડી સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું છે. ગુજરાતી સંસ્કૃતિનો વિરોધ નથી પણ મરાઠી અસ્મિતાનું સન્માન થવું જોઈએ.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ટ્રેન અમદાવાદથી મુંબઈ આવી રહી છે તો તેમાં માત્ર એક રાજ્યની સંસ્કૃતિ કેમ દર્શાવાઈ? તેજસ ટ્રેનમાં મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને અસ્મિતા પણ દેખાવી જોઈએ
Related Posts
કેવડીયાની આસપાસના છ ગામો પૈકીનું વાગડીયા ગામના ગ્રામજનોનો વિરોધ
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા કેવડીયાની આસપાસના છ ગામો પૈકીનું વાગડીયા ગામના ગ્રામજનોનો વિરોધ છ ગામના લોકો માટે ગોરા ગામ પાસે નિર્માણ…
અમદાવાદમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં કોઈએ રસ દાખવ્યો નહીં
અમદાવાદમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં કોઈએ રસ દાખવ્યો નહીં અમદાવાદની સ્થિતી ખરાબ છતા કોઈ આગળ ન આવ્યું પાટીલે સુરતમાં 5000…
નાંદોદના બોરીદ્રા ગામની મહિલાને શારીરિક માનસિક ત્રાસ ગુજારતા ફરિયાદ.
રાજપીપળા,તા. 12 નાંદોદના બોરીદ્રા ગામની મહિલાને શારીરિક, માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ અપાતા રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની…
