મુંબઈઃ તેજસ ટ્રેન ની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું કહેવું છે કે માત્ર પાઘડી બદલવી પૂરતી નથી. કપડામાં પણ મરાઠી ઝલક દેખાવી જોઈએ. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પણ કહ્યું કે મરાઠી અસ્મિતા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં.મનસેના મુંબઈ સચિવ સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે ટ્રેન હોસ્ટેસના કપડામાં સંપૂર્ણ રીતે ગુજરાતી કાઠિયાવાડી સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું છે. ગુજરાતી સંસ્કૃતિનો વિરોધ નથી પણ મરાઠી અસ્મિતાનું સન્માન થવું જોઈએ.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ટ્રેન અમદાવાદથી મુંબઈ આવી રહી છે તો તેમાં માત્ર એક રાજ્યની સંસ્કૃતિ કેમ દર્શાવાઈ? તેજસ ટ્રેનમાં મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને અસ્મિતા પણ દેખાવી જોઈએ
Related Posts
રાજ્યમાં 24 કલાકમાં 1274 કોરોનાના કેસ નોંધાયા રાજ્યમાં 24 કલાકમાં 13 દર્દીનાં મોત
રાજ્યમાં 24 કલાકમાં 1274 કોરોનાના કેસ નોંધાયા રાજ્યમાં 24 કલાકમાં 13 દર્દીનાં મોત અમદાવાદમાં 416 કેસ , 5 દર્દીનાં મોત…
*11 માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના દુઃખદ અવસાને પરિવારને સાંત્વના પાઠવવા શિક્ષણ મંત્રી ખુદ પહોંચ્યા* જીએનએ સુરત: સુરત શહેરના સરથાણા…
*ઇન્કમટેક્સનું કોકડું ઉકેલવા માટે 40 ખેડૂત એડવાઇઝરી સેલમાં પહોંચ્યા*
ભરૂચ: ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઇનકમટેક્સ વિભાગે કરચોરીની નોટીસો ફટકારી હતી. જોકે હવે નોટીસોના જવાબોમાં સરળતા રહે તે માટે ભરૂચ ઇન્કમટેક્સની…
