કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા બે દિવસમાં ધાર્મિક સ્થળો પર ૫૬૪ લોકોના ટેસ્ટિંગ કરવામા આવ્યા છે, જેમાંથી ૬ લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સુત્રો મુજબ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા વિસ્તારના ધાર્મિક સ્થળો પર કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમા બોપલના ઉમિયામાતા મંદિર, જુહાપુરાની બિસ્મિલ્લાહ મસ્જિદ, મણિનગરના ગુરદ્વારા, પ્રેરણાતીર્થ દેરાસર, ભારતી આશ્રમ મહાદેવ મંદિર, ફતેહવાડીની મસ્તાન મસ્જિદ, જુહાપુરાની યુસૂફ અને હાફીજ મસ્જિદ, જગન્નાથ મંદિર, બ્રહ્માકુમારી, વેજલપુરના બુટભવાની મંદિર અને ઘુમાના ભીમનાથ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.
Related Posts
ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ *મુખ્ય સમાચાર*
*મુખ્ય સમાચાર* *CWCની મીટિંગ પહેલાં આજે સોનિયા ગાંધીએ બોલાવી CPPની બેઠક *આજે સ્ટાફ નર્સની ભરતી માટે પરીક્ષા *153 જગ્યાઓ માટે…
*ભુપેન્દ્ર પટેલના રાજીનામા અંગેની ચર્ચાઓ માત્ર ફેક ન્યુઝ..* સીએમ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવ્યા ના અહેવાલ સદંતર પાયા વિહોણા…
बनासकांठा आज से अंबाजी के गब्बर पर उड़नखटोला होगा शुरू। मरमत के चलते रखा गया था बंद। Advertised Only..499/-Rs.
