કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા બે દિવસમાં ધાર્મિક સ્થળો પર ૫૬૪ લોકોના ટેસ્ટિંગ કરવામા આવ્યા છે, જેમાંથી ૬ લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સુત્રો મુજબ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા વિસ્તારના ધાર્મિક સ્થળો પર કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમા બોપલના ઉમિયામાતા મંદિર, જુહાપુરાની બિસ્મિલ્લાહ મસ્જિદ, મણિનગરના ગુરદ્વારા, પ્રેરણાતીર્થ દેરાસર, ભારતી આશ્રમ મહાદેવ મંદિર, ફતેહવાડીની મસ્તાન મસ્જિદ, જુહાપુરાની યુસૂફ અને હાફીજ મસ્જિદ, જગન્નાથ મંદિર, બ્રહ્માકુમારી, વેજલપુરના બુટભવાની મંદિર અને ઘુમાના ભીમનાથ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.
Related Posts
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયુ છે. સોમવાર સાંજે 84 વર્ષની…
સુકૃત પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં કોરોનાવાયરસ ને પગલે ગરીબ તેમજ જરૂરિયાત વાળા માટે ફૂડ પેકેટ આપવા નું આયોજન કરવામાં આવ્યું,
સુકૃત પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં કોરોનાવાયરસ ને પગલે ગરીબ તેમજ જરૂરિયાત વાળા માટે ફૂડ પેકેટ આપવા નું આયોજન કરવામાં…
રોટરી ક્લબ ઓફ રાજપીપલા નર્મદા ડેમ નો 12 મો અને રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો 5 મો પદ ગ્રહણ સમારોહ યોજાયો. રોટરી પ્રેસિડેન્ટ તરીકે તૃષાલ પટેલે શપથ લીધા .
રાજપીપલા તા 9 રોટરી ક્લબ ઓફ રાજપીપલા નર્મદા ડેમ નો 12 મો અને રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો 5 મો પદ…
