કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા બે દિવસમાં ધાર્મિક સ્થળો પર ૫૬૪ લોકોના ટેસ્ટિંગ કરવામા આવ્યા છે, જેમાંથી ૬ લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સુત્રો મુજબ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા વિસ્તારના ધાર્મિક સ્થળો પર કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમા બોપલના ઉમિયામાતા મંદિર, જુહાપુરાની બિસ્મિલ્લાહ મસ્જિદ, મણિનગરના ગુરદ્વારા, પ્રેરણાતીર્થ દેરાસર, ભારતી આશ્રમ મહાદેવ મંદિર, ફતેહવાડીની મસ્તાન મસ્જિદ, જુહાપુરાની યુસૂફ અને હાફીજ મસ્જિદ, જગન્નાથ મંદિર, બ્રહ્માકુમારી, વેજલપુરના બુટભવાની મંદિર અને ઘુમાના ભીમનાથ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.
Related Posts
એચ.એ.કોલેજની વિદ્યાર્થીનીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થીની અંજલી વ્યાસે શ્રી.સત્ય સાઈ સ્ટેટ લેવલ ઈલોક્યુશન કોમ્પીટીશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો…
ગાંધીનગર શહેરમાં આજે ઘટીને ૧૨૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…
*ગુજરાત રાજ્યમાં આજે નોંધાયેલ કેસોની વિગત…આજે ફરી નવા કેસોની સામે ડીસ્ચાર્જ થયેલ દર્દીમાં મોટો વધારો થતાં મોટી રાહત…સાવચેતી રાખીશું તો…
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોના ઈ.વી.એમ. સ્ટ્રોંગરૂમમાં સીલ કરવા ચૂંટણીતંત્ર દ્વારા આખીરાત કામગીરી આઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ, સ્ટાફ, પોલીસના જવાનો…
