કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા બે દિવસમાં ધાર્મિક સ્થળો પર ૫૬૪ લોકોના ટેસ્ટિંગ કરવામા આવ્યા છે, જેમાંથી ૬ લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સુત્રો મુજબ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા વિસ્તારના ધાર્મિક સ્થળો પર કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમા બોપલના ઉમિયામાતા મંદિર, જુહાપુરાની બિસ્મિલ્લાહ મસ્જિદ, મણિનગરના ગુરદ્વારા, પ્રેરણાતીર્થ દેરાસર, ભારતી આશ્રમ મહાદેવ મંદિર, ફતેહવાડીની મસ્તાન મસ્જિદ, જુહાપુરાની યુસૂફ અને હાફીજ મસ્જિદ, જગન્નાથ મંદિર, બ્રહ્માકુમારી, વેજલપુરના બુટભવાની મંદિર અને ઘુમાના ભીમનાથ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.
Related Posts
નાગર નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે “મા”નું શ્રાધ્ધ કર્યું હતું. તેની વિગત.
નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે મા નું શ્રાધ્ધ કરેલ તેની વિગત…નરસિંહ મહેતાની સહી પણ છે. 568 વર્ષ પહેલાંના ચોપડા સચવાયેલા છે.…
નર્મદા સહિત ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થતાં સોશિયલ મીડિયામાં વોર જામ્યું .
સમર્થકોએ સોશિયલ મીડિયામાં જનતાએ ભાજપની કેમ જીતાડ્યા તેની કોમેન્ટ મૂકી. રાજપીપળા,તા.3 નર્મદા સહિત ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો…
*ભાવનગરનો શ્રવણ : સેવાભાવપૂર્ણ માતાના હ્રદયનું દાન કરતો પુત્ર મીલન*
*દિકરો હોય તો આવો……!!!* *માતાનું અંગદાન કરીને ૨૦ વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી !!* ………. *ભાવનગરનો શ્રવણ :…
