ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થીની અંજલી વ્યાસે શ્રી.સત્ય સાઈ સ્ટેટ લેવલ ઈલોક્યુશન કોમ્પીટીશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. શરૂઆતમાં ડીસ્ટ્રીક્ટ લેવલે પ્રથમ આવ્યા બાદ બરોડા મુકામે સ્ટેટ લેવલની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બરોડા,નવસારી,અમદાવાદ, વલસાડ,સુરત,રાજકોટ વિગેરે જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.વકતૃત્વ સ્પર્ધાનો વિષય “માનવીય મૂલ્યો દ્વારા ૨૧મી સદીનું શિક્ષણ” હતો એચ.એ.કોલેજની વિદ્યાર્થીની અંજલી વ્યાસે પોતાની સ્પીચમાં ૨૧મી સદીમાં અપાતા શિક્ષણમાં માનવીય મુલ્યો જેવા કે સત્ય,ધર્મ,શાંતિ,પ્રેમ તથા અહિંસા શા માટે જરૂરી છે. તેની વાત કરી હતી આજનાં ઈન્ટરનેટ યુગમાં ભારતીય સંસ્કૃતી તથા સંસ્કાર સિંચનના પાઠ શૈક્ષણિક સંસ્થાઓએ ભણાવવા જરૂરી છે.સમગ્ર વિશ્વમાં એક અજંપો વર્તાઈ રહ્યો છે તેનું સમાધાન માનવીય મૂલ્યોમાં છે જેને સમગ્ર વિશ્વએ અપનાવું જોઈએ. કોલેજની વિદ્યાર્થીની અંજલી વ્યાસને આ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે અભિનંદન આપ્યા હતા
Related Posts
ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં સતિષ પટેલ હાઈ જમ્પમાં યુનિવર્સિટી કક્ષાએ અવવ્લ ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં રહીશ સતિષ પટેલ ૧૧૯…

દુઃખ મુક્તિ માટે શું કરશો? શિલ્પા શાહ – ડિરેક્ટર ઇન્ચાર્જ એચ. કે. બીબીએ કોલેજ
આપણે સૌ જાણીએ છીએ કે જીવનની તમામ પીડાઓનું મુખ્ય કારણ આપણો મોહ કે આસક્તિ છે. એટલે કે કોઈ વસ્તુ, વ્યક્તિ…

*ગાંધીનગર ખાતે સીએમની ઉપસ્થિતિમાં નવનિયુક્ત ૧૯૯૦ ઉમેદવારોને નિમણૂક પત્ર અર્પણ કરાયા*
*ગાંધીનગર ખાતે સીએમની ઉપસ્થિતિમાં નવનિયુક્ત ૧૯૯૦ ઉમેદવારોને નિમણૂક પત્ર અર્પણ કરાયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ…