*ભાવનગરનાં પત્રકાર પરમ શ્રદ્ધેય મુરબ્બી સલીમભાઈ બાવાણીનું કોરોનાથી દુઃખદ અવસાન.*

*પરમ શ્રદ્ધેય મુરબ્બી મર્હુમ શ્રી સલીમભાઈ બાવાણી*

વાઘ જેવી દહાડ હતી જેની, સદા સત્ય ને માટે હતો તૈયાર,
એ નરબંકો શૂરવીર સલીમ, આજે એકલ નીકળી પડ્યો સફર,
ઘણાયની બોલતી બંધ કરાવી, નિર્દોષની રક્ષા કાજે ઉઠાવ્યો સૂર,
અચાનક અણધારી લીધી વિદાય, તોય અંતર માંહી રહેશે ભરપૂર..

આજની આ સવાર ખૂબ જ કરૂણ રૂદન આપી ગઈ અને હૃદયથી રડાવી ગઈ,
સૌ માટે લડનારો લડવૈયો આજે ખુદ માટે ન લડી શક્યો એનો અફસોસ આજીવન ડંખની માફક ખૂંચ્યા કરશે. મારા જીવનમાં તો સલીમ બાવાણી એક આશાનો ઉજાસ પાથરી ગયા.. મુજને જીવતા શીખવાડી ને ખુદ ચાલી નીકળ્યા…

આજની આ ઘડીએ પરમકૃપાળુ પરમાત્માને સ્વર્ગસ્થની આત્માને શાંતિ અર્પે એવી હૃદયપૂર્વકની અભ્યર્થના સહ શત્ શત્ નમન….

*- ગૌરાંગ પંડ્યા*
ગાંધીનગર