ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા લોકડાઉન સમયથી અત્યાર સુધી ૧૫ વેબીનાર યોજવામાં આવ્યા હતા. જેમાં ડીજીટલ માર્કેટીંગ,સાયબર સીક્યોરીટી, પ્રિપેરેશન ફોર નેક, ગ્રાફીક ડીઝાઇન, ઈન્ટરવ્યું ટેકનીક્સ, એમબીએ:ઇન ડીમાંન્ડસ ઓલવેઝ,બેંકિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ જોબ સીનારીઓ પોસ્ટ કોવીડ-૨૦૧૯,કોપોરેટ એક્સપેકટેશન્સ: ફોમ ર્કલાસરૂમ ટુ ક્યુબીસ, ઓનલાઇન લર્નિંગ એન્ડ સ્ટુડન્ટસ એંગેજમેન્ટ ટેકનીક્સ વિગેરે વિષયો ઉપર વેબીનાર્સ યોજાઈ ગયા. આ વેબીનાર્સમાં ગુજરાતની વિવિધ કોલેજનાં અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે ઓનલાઈન ટીચિંગ એ કાયમી ઉકેલ નથી પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ માત્ર વૈકલ્પીક વ્યવસ્થા હોઈ શકે છે. કલાસરૂમ ટીચિંગનો કોઈ વિકલ્પ હોઈ શકે નહી. પરંતુ હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ઓનલાઈન ટીચિંગ કરવાથી ટેવાવું પડશે
Related Posts
*📍 બિહાર: ચૂંટણી ડ્યુટી પછી કિશનગંજમાં તેમના કાર્યસ્થળથી પરત ફરતી વખતે, એક પોલીસ અધિકારીની 9 એમએમની સરકારી પિસ્તોલ, 35 કારતુસ અને અન્ય વસ્તુઓ ચોરાઈ ગઈ હતી.*
*📍 બિહાર: ચૂંટણી ડ્યુટી પછી કિશનગંજમાં તેમના કાર્યસ્થળથી પરત ફરતી વખતે, એક પોલીસ અધિકારીની 9 એમએમની સરકારી પિસ્તોલ, 35 કારતુસ…
ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી ‘જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. આ અવિસ્મરણીય…
*બનાસકાંઠા પોલીસ દ્વારા ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં આદ્યશક્તિ માં અંબાને અપાયું ગાર્ડ ઓફ ઓનર* જીએનએ પાલનપુર: યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ધર્મ અને…
