અમદાવાદ: રાજકોટ પાસેના ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે રવિવારે સાંજે 5.52 વાગ્યે બાળકો માટે નાસ્તો લેવા પાનની દુકાન પાસે ઉભેલા અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV (આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર મોટર વહીકલ)નું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પુરઝડપે અને બેફામ બનીને આવેલા ટ્રકે 3 કાર સહિત પાંચ વાહનોને અડફેટે લેતા દુર્ઘટના બની જેમાં નિલેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ ક્લીનરને ઝડપી લીધો હતો. રાજકોટ શહેર આજી ડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ નિલેશભાઈ કોઠારી તેમના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા જતા હતા.રસ્તામાં ત્રંબા કસ્તુર બા ધામ બસ સ્ટોપ પાસે બાળકો માટે બિસ્કિટ અને નાસ્તો લેવા ગયા હતા. પાનની દુકાને ઉભા હતા તે જ સમયે અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને તેમજ ત્રણ કાર અને બે વાહનોને અડેફેટે લીધા હતા આ ઘટનાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત નિલેશભાઈને સારવાર માટે રાજકોટ લઈ જતા ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
Related Posts
નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો. એથ્લેટિક્સમાં 100 વર્ષ બાદ ગોલ્ડ મેડલ.
ઓલિમ્પિક નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો. એથ્લેટિક્સમાં 100 વર્ષ બાદ ગોલ્ડ મેડલ. ઓલિમ્પિક 2020નો એક માત્ર ગોલ્ડ મેડલ. આ સાથે ભારતનું…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા*
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા*▪ *જગતજનની અંબાજી ની કૃપા થી કોરોના ની ત્રીજી લહેર આવે…
રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ મહત્વના અહેવાલ
નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પરીક્ષા યોજાય તેવી સંભાવનાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં કરવામાં કરાઈ શકે છે જાહેરાતપરીક્ષા યોજવાને લઈ…
