અમદાવાદ: રાજકોટ પાસેના ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે રવિવારે સાંજે 5.52 વાગ્યે બાળકો માટે નાસ્તો લેવા પાનની દુકાન પાસે ઉભેલા અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV (આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર મોટર વહીકલ)નું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પુરઝડપે અને બેફામ બનીને આવેલા ટ્રકે 3 કાર સહિત પાંચ વાહનોને અડફેટે લેતા દુર્ઘટના બની જેમાં નિલેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ ક્લીનરને ઝડપી લીધો હતો. રાજકોટ શહેર આજી ડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ નિલેશભાઈ કોઠારી તેમના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા જતા હતા.રસ્તામાં ત્રંબા કસ્તુર બા ધામ બસ સ્ટોપ પાસે બાળકો માટે બિસ્કિટ અને નાસ્તો લેવા ગયા હતા. પાનની દુકાને ઉભા હતા તે જ સમયે અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને તેમજ ત્રણ કાર અને બે વાહનોને અડેફેટે લીધા હતા આ ઘટનાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત નિલેશભાઈને સારવાર માટે રાજકોટ લઈ જતા ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
Related Posts
#BREAKING *📌મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓની કાર્યવાહી* કસ્ટમ અધિકારીઓને મળી મોટી સફળતા વિદેશી નાગરિકો પાસેથી 90 હજાર યુએસ…
અમદાવાદમાં આજથી રસી ફરજિયાત
અમદાવાદમાં આજથી રસી ફરજિયાતરસી લીધી હશે તો જ મળશે જાહેર સ્થળોમાં પ્રવેશAMC હસ્તક તમામ જગ્યાએ જવા રસી ફરજિયાતરસી વગર AMTS-BRTSની…
શિવનેરી બ્રિગેડની મુલાકાત લેતા સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ.નૈન.
અમદાવાદ: સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ.નૈન, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, 09 ઑગસ્ટ 2021ના રોજ શિવનેરી…
