અમદાવાદ: રાજકોટ પાસેના ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે રવિવારે સાંજે 5.52 વાગ્યે બાળકો માટે નાસ્તો લેવા પાનની દુકાન પાસે ઉભેલા અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV (આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર મોટર વહીકલ)નું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પુરઝડપે અને બેફામ બનીને આવેલા ટ્રકે 3 કાર સહિત પાંચ વાહનોને અડફેટે લેતા દુર્ઘટના બની જેમાં નિલેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ ક્લીનરને ઝડપી લીધો હતો. રાજકોટ શહેર આજી ડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ નિલેશભાઈ કોઠારી તેમના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા જતા હતા.રસ્તામાં ત્રંબા કસ્તુર બા ધામ બસ સ્ટોપ પાસે બાળકો માટે બિસ્કિટ અને નાસ્તો લેવા ગયા હતા. પાનની દુકાને ઉભા હતા તે જ સમયે અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને તેમજ ત્રણ કાર અને બે વાહનોને અડેફેટે લીધા હતા આ ઘટનાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત નિલેશભાઈને સારવાર માટે રાજકોટ લઈ જતા ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
Related Posts
AMC ના અધિકારીઓ દ્વારા પ્રજા માટે ઇન્જેક્શનની વ્યવસ્થાનો કરાય છે દેખાડો
તારીખ વગરની પ્રેસનોટ આપીને પ્રજાને ગુમરાહ કરવાનો AMC અધિકારીઓનો કિમિયો રેમડેસિવિર બાદ એમ્ફોતેરીસીન બી ના ઇન્જેક્શનની પણ તારીખ વગરની પ્રેસનોટ…
રાજ્યમાં RTPCR ટેસ્ટના દરમાં કરાયો ઘટાડો, હવેથી માત્ર આટલાં રૂપિયામાં જ ટેસ્ટ કરાવી શકશો
પ્રાઇવેટ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ 700 રૂપિયા હતો જેને ઘટાડીને 400 રૂપિયા કરાયો દર્દીના ઘરે RTPCR ટેસ્ટનો ચાર્જ 550 રૂપિયા રહેશે.…
*”આદિવાસી વિસ્તારમાં સ્થાળાંતરની સ્થિતિ અને સમસ્યા” ઉપર મહાનિબંધ રજુ કરી PHDની ડીગ્રી મેળવીતા અંકિતા પટેલ*
*”આદિવાસી વિસ્તારમાં સ્થાળાંતરની સ્થિતિ અને સમસ્યા” ઉપર મહાનિબંધ રજુ કરી PHDની ડીગ્રી મેળવીતા અંકિતા પટેલ* એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ):: શ્રી…
