અમદાવાદ: રાજકોટ પાસેના ત્રંબા કસ્તુરબા ધામ બસ સ્ટોપ પાસે રવિવારે સાંજે 5.52 વાગ્યે બાળકો માટે નાસ્તો લેવા પાનની દુકાન પાસે ઉભેલા અમદાવાદ વસ્ત્રાલ ARTOના AIMV (આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર મોટર વહીકલ)નું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પુરઝડપે અને બેફામ બનીને આવેલા ટ્રકે 3 કાર સહિત પાંચ વાહનોને અડફેટે લેતા દુર્ઘટના બની જેમાં નિલેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જ્યારે સ્થાનિક લોકોએ ક્લીનરને ઝડપી લીધો હતો. રાજકોટ શહેર આજી ડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ નિલેશભાઈ કોઠારી તેમના પરિવારજનો સાથે રાજકોટથી ઢાંઢીયા પરત જતા જતા હતા.રસ્તામાં ત્રંબા કસ્તુર બા ધામ બસ સ્ટોપ પાસે બાળકો માટે બિસ્કિટ અને નાસ્તો લેવા ગયા હતા. પાનની દુકાને ઉભા હતા તે જ સમયે અચાનક ધસી આવેલ ટ્રકે નિલેશભાઈને તેમજ ત્રણ કાર અને બે વાહનોને અડેફેટે લીધા હતા આ ઘટનાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત નિલેશભાઈને સારવાર માટે રાજકોટ લઈ જતા ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
Related Posts
પાલનપુર LCB પોલીસે હાથિદ્રા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમની કરી અટકાયત
બનાસકાંઠા… પાલનપુર LCB પોલીસે હાથિદ્રા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમની કરી અટકાયત… પોલીસે બાતમીના આધારે પરેશ ગામેતી નામના…
1971મા નરેન્દ્રભાઈ મોદીએ જલાવેલી મશાલની યાદ આમ જનતા સુધી પહોંચાડવાની નેમ
ઇન્ડિયન આર્મી દ્વારા કેવડિયા સ્ટેચ્યુ ખાતે સ્વર્ણિમ વિજય વર્ષ ની ઉજવણીના ભાગ રૂપેકેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વર્ણિમ મશાલ આવી…
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ. મનદીરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ પ્રેસ. ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે…
