રાજ્યમાં કોરોનાનો દિન પ્રતિદિન પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના ટેસ્ટિંગ બાબતે મહત્વની જાણકારી આપી. તેમણે ટેસ્ટિંગ અંગે કહ્યું કે ડોક્ટર સલાહ આપે તે રીતે ટેસ્ટ કરાવવાની જરૂરી છે જેવા વ્યક્તિઓના ટેસ્ટ સરકારની (રાજ્ય સરકારની માલિકીની હોસ્પિટલમાં ચાલતી અને મેડિકલ કોલેજમાં ચાલતી લેબોરેટરીઓ) બધી જ લેબોરેટરીમાં વિનામૂલ્યે કરી આપવામાં આવે છે પણ આમ છતાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવું હોય તો કરાવી શકાય છે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરી ટેસ્ટ માટે લગભગ ચાર હજાર રૂપિયા ચાર્જ લેતી હતી. જે ઓછો હોવો જોઈએ. જે નિર્ણય લેવાયો છે તે મુજબ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ 2500 રૂપિયા કરવામાં આવ્યો છે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. જો ઘરે બોલાવીને સેમ્પલ લેવામાં આવશે તો 3000 રૂપિયા ચાર્જ થશે.
Related Posts
INS તબર ફ્રાન્સના પોર્ટ ઓફ બ્રેસ્ટ ખાતે પહોંચ્યું. જહાજનું કરાયું ભવ્ય સ્વાગત
*INS તબર ફ્રાન્સના પોર્ટ ઓફ બ્રેસ્ટ ખાતે પહોંચ્યું. જહાજનું કરાયું ભવ્ય સ્વાગત* દિલ્હી: વર્તમાન સમયમાં વિદેશમાં કરવામાં આવેલી નિયુક્તિ અંતર્ગત…
કાન આડા હાથ રાખી સત્તા પર બેઠેલી સરકારને મેસેજ પહોંચાડવા ઘણી વાર રોડ-રસ્તા પર આવવુ પડે છે. “પેટ્રોલના ભાવ પ્રજાને ઘાવ”,
કાન આડા હાથ રાખી સત્તા પર બેઠેલી સરકારને મેસેજ પહોંચાડવા ઘણી વાર રોડ-રસ્તા પર આવવુ પડે છે. “પેટ્રોલના ભાવ પ્રજાને…
*📌રાજકોટમાં મોબાઇલની દુકાનમાં લાગેલી આગનાં કેસમાં મોટો ઘટસ્ફોટ* * ધંધાકીય હરિફાઇમાં દેશી બોમ્બ બનાવીને કરાયો હતો બ્લાસ્ટ *…
