રાજ્યમાં કોરોનાનો દિન પ્રતિદિન પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના ટેસ્ટિંગ બાબતે મહત્વની જાણકારી આપી. તેમણે ટેસ્ટિંગ અંગે કહ્યું કે ડોક્ટર સલાહ આપે તે રીતે ટેસ્ટ કરાવવાની જરૂરી છે જેવા વ્યક્તિઓના ટેસ્ટ સરકારની (રાજ્ય સરકારની માલિકીની હોસ્પિટલમાં ચાલતી અને મેડિકલ કોલેજમાં ચાલતી લેબોરેટરીઓ) બધી જ લેબોરેટરીમાં વિનામૂલ્યે કરી આપવામાં આવે છે પણ આમ છતાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવું હોય તો કરાવી શકાય છે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરી ટેસ્ટ માટે લગભગ ચાર હજાર રૂપિયા ચાર્જ લેતી હતી. જે ઓછો હોવો જોઈએ. જે નિર્ણય લેવાયો છે તે મુજબ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ 2500 રૂપિયા કરવામાં આવ્યો છે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. જો ઘરે બોલાવીને સેમ્પલ લેવામાં આવશે તો 3000 રૂપિયા ચાર્જ થશે.
Related Posts
તાલુકા હેલ્થ ઓફીસરઅને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરોએ જિલ્લાના ૩૦૪ ગામોની ગ્રામસભાઓમાં લાભાર્થીઓને રસીકરણ અંગે પૂરૂં પાડ્યું જરૂરી માર્ગદર્શન
નર્મદા જિલ્લાના ૫૫૧ ગામ પૈકી ૨૪૭ ગામોમાં પ્રથમડોઝ માટે ૧૦૦ ટકા રસીકરણની કામગીરી પૂર્ણ : બાકી રહેલા તમામ ગામોમાં રસીકરણની…
*કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગરમાં ”આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” કાર્યક્રમની ઉજવણી કરાઈ*
*કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગરમાં ”આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” કાર્યક્રમની ઉજવણી કરાઈ* જામનગર સંજીવ રાજપૂત: જામનગરમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન…
સિંગતેલ ફરી 30 રૂપિયા મોંઘું થયું ડબ્બાનો ભાવ
સિંગતેલ ફરી 30 રૂપિયા મોંઘું થયું ડબ્બાનો ભાવ 2430 પર પહોંચ્યો કપાસિયા તેલમાં 40 રૂપિયાનો વધારો ડબ્બાનો ભાવ 2300 પર…
