* માતા રેણુકા અને જમદગ્નિ ૠષિના પુત્ર પ.પૂ.ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ જન્મ વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના દિવસે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે થયો હોવાનું માનવામાં આવે છે.આજ ભગવાન પરશુરામની જયંતિ નિમિતે સર્વે ભુદેવોને જયેશ શ્રીમાળી પલિયડ વતી શુભકામના. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે અને દત્તભગવાનથી વરદાન પામનાર હૈહવકુળ ના અર્જુન એટલે સહસ્ત્રાર્જુન જ્યારે તેમના આશ્રમમાંથી કામધેનુ ગાયને સૈનિકોના બળથી લઇ જાય છે ત્યારે ભગવાન પરશુરામ તેનો વધ કરે છે અને તેમના ભયથી તેના હજાર પુત્રો પણ ભગવાન પરશુરામના ડરથી ભાગી જાય છે.અને ભગવાન પરશુરામ કામધેનુ ગાયને આશ્રમમાં લઇ આવે છે.પરંતુ સહસ્ત્રાર્જુનના પુત્રો તેના પિતાના વધનો બદલો લેવાં આશ્રમમાં આવી ભગવાન પરશુરામના પિતા જામદગ્નિનું મસ્તક કાપી નાંખે છે.માતા રેણુકાને આક્રંદ કરતા સાંભળી ભગવાન શિવે આપેલી ફરશી(કુહાડી)થી સહસ્ત્રાર્જુનના હજાર પુત્રોનો વધ કરી નાખે છે.અને હૈહાવકુળનો નાશ કરે છે.આમ ભગવાન પરશુરામે પૃથ્વી પર ક્ષત્રિયોના વધતા અત્યાચાર અને પાપોથી પૃથ્વીનું રક્ષણ કરવા એકવીસવાર પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરી પૃથ્વીને નક્ષત્રિય કરી દઈ ને પૃથ્વીનું રક્ષણ કરી ધર્મની રક્ષા કરનાર ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામને તેમની જન્મજયંતી નિમિત્તે સત સત કોટી વંદન.જય ભુદેવ.. લેખક-જયેશ શ્રીમાળી પલિયડ મોડેલ સ્કૂલ સાણંદ.(મ.શિ.)
Related Posts
કોલવડા ખાતેની આયુર્વેદિક કોલેજ મા દીપડો આવ્યો હોય અને રૂમમાં પૂરી દીધો છે જેથી જંગલખાતાના અધિકારીઓ તાબડતોબ કોલવડા પહોંચ્યા.
કોલવડા ખાતેની આયુર્વેદિક કોલેજ મા દીપડો આવ્યો હોય અને રૂમમાં પૂરી દીધો છે જેથી જંગલખાતાના અધિકારીઓ તાબડતોબ કોલવડા પહોંચ્યા છે
*📍ભરૂચ: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ચોરી*
*📍ભરૂચ: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ચોરી* જેસીબી મશીન નાં ચાલક સહિત બે ઈસમો 1 લાખનાં મુદ્દામાલ સાથે…
અમદાવાદ ઠક્કરનગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગ તેમજ હુમલાની ઘટનાના સમાચાર
અમદાવાદ ઠક્કરનગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગ તેમજ હુમલાની ઘટનાના સમાચાર અમદાવાદ ઠક્કરનગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગ તેમજ હુમલાની…
