રાણીપમાં છરીના હુમલાનો ભોગ બનેલા નરેશ ઠાકોરનું નિધન: કેસ હવે હત્યામાં ફેરવાયો

રાણીપમાં છરીના હુમલાનો ભોગ બનેલા નરેશ ઠાકોરનું નિધન: કેસ હવે હત્યામાં ફેરવાયો

​અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં બુધવારે મોડી સાંજે નરેશ ઠાકોર નામનાં યુવક પર છરી વડે હુમલો થયો હતો, તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

​હુમલાનો ભોગ બનનાર યુવકની ઓળખ કાળીગામના રહેવાસી નરેશ ઠાકોર તરીકે થઈ હતી. તેમને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં.

​નરેશ ઠાકોરના મૃત્યુને પગલે, રાણીપ પોલીસે આ મામલે હત્યાની કલમો ઉમેરી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો અંદરોઅંદરની માથાકૂટના કારણે થયો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હવે પોલીસે આરોપીને ઝડપી લેવા માટે તપાસ વધુ આક્રમક બનાવી છે.