અમેરિકન રિસર્ચરો દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ પહેલા પાંચ દિવસમાં વ્યક્તિને સુકી ખાંસી-ઉધરસ આવવાનુ શરૂ થઇ જાય છે.દર્દીને વધારે પડતો તાવ ચઢવા લાગે છે અને તેના શરીરનું તાપમાન એકદમ વધી જાય છે. અત્યાર સુધી ઘણાં હેલ્થ એક્સપર્ટ કોરોનાના વાયરસમાં વધારે તાવ ચઢવાનો દાવો કરી ચૂક્યા છે.કોરોના વાયરસ થાય ત્યારે પહેલા પાંચ દિવસમાં માણસને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્વાસની તકલીફ ફેફસામાં લાળ ફેલાવવાના કારણે થાય છે.ખાસ વાત છે કે, નેશનલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોરોનાના આ જ લક્ષણો બતાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રિસર્ચરોએ આ ખાસ રિસર્ચ ચીનના વુહાન શહેરની બહાર લગભગ 50 વિસ્તારોમાં કર્યું હતું. હેલ્થ એક્સપર્ટે આ દરમિયાન લોકોને 14 દિવસ સુધી સેલ્ફ આઇસૉલેટમાં રહેવાની પણ સલાહ આપી છે. ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં દર્દીઓની સંખ્યા 150એ પહોંચી છે. દેશભરમાં કોરોનાના 52 ટેસ્ટિંગ સેન્ટર છે. આ સિવાય 57 સેમ્પલ એકઠા કરવા માટે સેન્ટર બનાવ્યા છે. સરકાર તરફથી 30થી 40 હજાર લોકો પર નજર રખાઈ રહી છે. દેશમાં 30 એરપોર્ટ પર સ્ક્રીનીંગની વ્યવસ્થા કરાઈ છે. કોરોના વાયરસના કારણે કર્ણાટકમાં એક વૃદ્ધનું અને દિલ્હીમાં એક મહિલાનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસના 3 મોત થયા છે
Related Posts
કેન્દ્રીય સંયુકત સચિવ ડી.થારા. કેવડીયા કોલોની ખાતે બેઠક યોજીને થારાએ જિલ્લાની કામગીરી-પ્રગતિની કરેલી સમીક્ષા.
એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા જિલ્લો સર્વાગી વિકાસ સાથે સમગ્ર દેશમાં અગ્રેસર રહે તે માટે રચનાત્મક સૂચનો સાથે ટીમ નર્મદાને આહવાન કરતા કેન્દ્રીય…
ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
સુરતના ઉન વિસ્તારમાં રહેતા ફિરોજ બંબા ની હત્યા.
*સમાચારો, અવસાનનોંધ, પ્રેસનોટ, જાહેરાત, આપવા માટે વોટ્સઅપ નમ્બર ૯૭૩૭૬૧૯૨૧૧* સુરતના ઉન વિસ્તારમાં રહેતા ફિરોજ બંબા ની હત્યા… સચીન જીઆઇડીસી વિસ્તારમાં…
