કોરોના વાયરસના હજુ ભારતમાં 89 કેસ છે. જે સ્તર પર ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે એ સેક્ન્ડ સ્ટેજમાં છે. ભારતે 30 દિવસમાં યોગ્ય પગલાં ન ભર્યા તો એ સ્ટેજ 3 માં પહોંચી જશે. જેને રોકવો મુશ્કેલ બની જશે. આ ખુલાસો દેશના એક તબીબે કર્યો છે. સરકારે અત્યારે જ પગલાં ભરવાની જરૂર છે. બીજા સ્ટેજના કોરોના એટલે આ વાયરસ એ જ લોકોમાં મળ્યો છે જેઓ કોરાના સંક્રમિત દેશોમાં ફરીને આવ્યા છે. એટલે કે એ લોકો પૂરતો જ સીમિત છે. સ્થાનિક સ્તર પર આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હજુ ફેલાઈ નથી. ત્રીજા સ્ટેજમાં આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવાની શરૂ થશે. ભારત સરકાર પાસે ત્રીજા સ્ટેજ પર પહોંચવા માટે રોકવા માટે 30 દિવસનો સમય છે. ઇટલી અને ચીનમાં આ બિમારી મહામારીના સ્ટેજને પણ વટાવી ગઈ છે. હાલમાં કોરોના છઠ્ઠા સ્ટેજ પર છે. ભારતમાં કોરોનાને વધુ ફેલાતો રોકવા માટે ભારતીયોએ પણ સરકારને સહકાર આપવાની જરૂર છે. કારણ કે તેઓ જેટલા એલર્ટ રહેશે એટલી બિમારી વધુ નહીં ફેલાઈ, એકવાર આ બિમારી ત્રીજા સ્ટેજે પહોંચી તો તમામ કોશિષો નિષ્ફળ જવાની શરૂ થશે અને મોતના આંકને રોકી શકાશે નહીં.
Related Posts
અમદાવાદ ના મણિનગર ની એલ જી હોસ્પિટલ મા પહેલા માળે આગ લાગતા ધુમાડા ઓ ફરી વળ્યા
અમદાવાદ ના મણિનગર ની એલ જી હોસ્પિટલ મા પહેલા માળે આગ લાગતા ધુમાડા ઓ ફરી વળ્યા પેશન્ટો અને સ્ટાફ સમયસુચકતા…
એક સલામ જવાનો કે નામ: મધ્ય દરિયામાં સાહસપૂર્ણ ઓપરેશન હાથ ધરીને સાત લોકોના જીવ બચાવતું ભારતીય તટરક્ષક દળ.
એક સલામ જવાનો કે નામ: મધ્ય દરિયામાં સાહસપૂર્ણ ઓપરેશન હાથ ધરીને સાત લોકોના જીવ બચાવતું ભારતીય તટરક્ષક દળ. અમદાવાદ: ભારતીય…
સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ
સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ
