દિલ્હીમાં કોરોના વાયરસના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે અંગે મીડિયામાં અહેવાલ આવતાં અંતે નિગમબોધ ઘાટે કોરોનાથી જીવ ગુમાવેલા મહિલાના અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ પરિવારના લોકો જ્યારે મૃતદેહ લઈને નિગમબોધ ઘાટ પહોંચ્યા તો તંત્ર દ્વારા અંતિમ સંસ્કારની મંજૂરી આપી ન હતી.એક સંબંધીએ જણાવ્યું કે આ અંગે તેઓએ જ્યારે નિગમબોધ ઘાટના પ્રમુખને ફોન કરીને ફરિયાદ કરી તો તેઓએ પણ મૃતદેહને બીજે લઈ જઈને અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું હતું. જો કે બાદમાં આ અંગેના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આવી હતી.
Related Posts
502 કરોડમાં ફોટોનું આર્ટવર્ક ખદીદનાર પાસે એક સમયે લેપટોપ લેવાના પૈસા નહોતા
ભારતીય મૂળના વિગ્નેશ સુંદરેશન અને આનંદ વેંકટેશ્વરને જેણે એક JPEG ફાઇલનું આર્ટવર્ક $69.3 મિલિયન ડોલરમાં એટલે કે અંદાજે 8502 કરોડમાં…
માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા આદેશ.*
માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા કલેક્ટરેનો આદેશ માસ્ક ન પહેરનારા અથવા કોરોના મહામારી અંગેની માર્ગદર્શિકાનું જાહેર સ્થળોએ…
*બેસણાં બારમામાં જમણ બંધ કરવાનો કડવા પાટીદાર સમાજનો નિર્ણય*
બેસણાં, બારમામાં જમણ બંધ કરવાનો બાવન કડવા પાટીદાર સમાજનો નિર્ણય ટૂંડાવ ગામે થયેલી સમાજની સામાન્ય સભામાં બેસણા અને બારમાના પ્રસંગે…
