નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ લીધો છે. કુલ મરણાંક 4000 પર પહોંચી ગયો છે.ભારતમાં આ રોગચાળો ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે વિમાનીમથકો ખાતે પ્રવાસીઓના તબીબી સ્ક્રીનિંગ, જાહેર ટ્રાન્સપોર્ટ સાધનોની સફાઈ, દર્દીઓ માટે અલાયદા વોર્ડ ઊભા કરવા સહિત અનેક પગલાં લીધા છે.એક મહત્ત્વનો નિર્ણય લઈને મણિપુર રાજ્યની સરકારે મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરી દીધી છે. એ દેશમાંથી કોરોનાનો ચેપ ભારતમાં ફેલાતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આ નિર્ણય લીધો છે
Related Posts
નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના ૧૯,૯૦૪ બાળકોને કાર્બેવેક્સ વેક્સીનની રસી અપાઇ :૯૫ ટકાથી પણ વધુ વેક્સીનેશનની કામગીરી પૂર્ણ
રાજપીપલા,તા.25 ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોને કોરોના વેકસીનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાના અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા…
ભાજપ શાસિત નગર પાલિકમાં ભ્રષ્ટાચાર મામલે ભડકો, 9 કોર્પોરેટરો જીતુ વાઘાણીને મોકલશે રાજીનામું
સુરત જિલ્લાની બારડોલી નગર પાલિકામાં ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર મામલે બાયો ચડાવી છે. પાલિકાના ભાજપના 9 જેટલા કોર્પોરેટરો પ્રદેશ પ્રમુખ જીતુ…
*બનાસકાંઠામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ૭૬મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી*
*બનાસકાંઠામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ૭૬મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી* એબીએનએસ, એસ.આર. બનાસકાંઠા: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ…
