નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ લીધો છે. કુલ મરણાંક 4000 પર પહોંચી ગયો છે.ભારતમાં આ રોગચાળો ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે વિમાનીમથકો ખાતે પ્રવાસીઓના તબીબી સ્ક્રીનિંગ, જાહેર ટ્રાન્સપોર્ટ સાધનોની સફાઈ, દર્દીઓ માટે અલાયદા વોર્ડ ઊભા કરવા સહિત અનેક પગલાં લીધા છે.એક મહત્ત્વનો નિર્ણય લઈને મણિપુર રાજ્યની સરકારે મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરી દીધી છે. એ દેશમાંથી કોરોનાનો ચેપ ભારતમાં ફેલાતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આ નિર્ણય લીધો છે
Related Posts
*કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ* *કોરોની સામે લડવા રાજ્ય સરકાર ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની…
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧મા ખેલ મહાકુંભનો ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાયો
આ વેળાએ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ફૂટબોલ રમીને રમતનો શુભારંભ કરાવ્યો વડાપ્રધાને આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે…
અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓએ લખ્યા પીએમઓને 2 હજાર પોસ્ટકાર્ડ.
જીએનએ અમદાવાદ: અમદાવાદની એક શાળાના વિધ્યાર્થીઓએ પીએમ. ઓફિસને 2 હજાર પોસ્ટકાર્ડ લખ્યા છે. અમદાવાદની ઈશનપુરની મુકતજીવન શાળાના વિધાર્થીઓએ વડાપ્રધાન કાર્યાલયને…
