નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ લીધો છે. કુલ મરણાંક 4000 પર પહોંચી ગયો છે.ભારતમાં આ રોગચાળો ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે વિમાનીમથકો ખાતે પ્રવાસીઓના તબીબી સ્ક્રીનિંગ, જાહેર ટ્રાન્સપોર્ટ સાધનોની સફાઈ, દર્દીઓ માટે અલાયદા વોર્ડ ઊભા કરવા સહિત અનેક પગલાં લીધા છે.એક મહત્ત્વનો નિર્ણય લઈને મણિપુર રાજ્યની સરકારે મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરી દીધી છે. એ દેશમાંથી કોરોનાનો ચેપ ભારતમાં ફેલાતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આ નિર્ણય લીધો છે
Related Posts
*ડેપ્યુટી કલેક્ટર હિમાંશુભાઈ ચૌહાણને શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટ કરતા તરીકે મુકવાનો રાજ્ય સરકારનો નિર્ણય સામાજિક સમરસતા નીતિને આગળ ધપાવવા માટેનું એક આગવું કદમ*
*ડેપ્યુટી કલેક્ટર હિમાંશુભાઈ ચૌહાણને શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટ કરતા તરીકે મુકવાનો રાજ્ય સરકારનો નિર્ણય સામાજિક સમરસતા નીતિને આગળ ધપાવવા માટેનું…
*ટેબ્લો વિજેતા ટીમે રાજ્યના સીએમને વિજેતા ટ્રોફી સુપ્રત કરી*
*ટેબ્લો વિજેતા ટીમે રાજ્યના સીએમને વિજેતા ટ્રોફી સુપ્રત કરી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત ટેબ્લો વિજેતા ટીમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી…
વડોદરા પપેર લીક મામલે એટીએસ દ્વારા 30 પરિક્ષાર્થીઓની ધરપકડ કરાઈ જીએનએ અમદાવાદ: વડોદરા ખાતે ખૂબ ચર્ચિત થયેલ જુનિયર ક્લાર્કના પપેર…
