પાકિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. સ્કાર્દુના ડેપ્યુટી કમિશનર ખુર્રમ પરવેઝે આ માહિતી આપી હતી. આ બસ રાવલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ગિલગીટ બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈજુલ્લાહ ફિરાકના જણાવ્યા અનુસાર ગિલગીટ નજીક રાઉન્ડુ ખાતે ખાડામાં પડી હતી. અત્યારસુધી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના ઘટનાસ્થળે અને 6 લોકોનાં હોસ્પિટલમાં મોત થયા છે. સપ્ટેમ્બરમાં જ 27 લોકોનાં થયાં હતાં મોત
Related Posts
*78 યાત્રીઓ ભરેલી નાવ પથ્થર સાથે ટકરાતા પલટી*
મહારાષ્ટ્રના રાયગઢમાં માંડવા તટ પર એક નાવ પલટી ગઈ હતી જેમાં માછીમારો અને કોસ્ટ ગાર્ડને કારણે નાવમાં સવાર તમામ 78…
*ગુજરાત રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*
રિક્ષા, સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર અને વાહનચાલક બન્ને પાસેથી દંડ વસૂલાશે…
રાજપીપલા માં પ્રથમ વાર રાજપીપલા ટાઉનની ટ્રાફિક સમસ્યાના નિવારવા પોલીસ આગળ આવી નવા એસપીની પહેલ: દંડ વસુલ્યા વગર ટ્રાફિક સમસ્યા…
