સુરત પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. જેમાં 30થી વધુ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ઝોન-5 અંતર્ગત આવતા વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાંદેર વિસ્તારના કુખ્યાત રાજન કાલી વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાંથી વ્યાજખોરો ઝડપાયા છે.

વર્ષ 2022ના છેલ્લા ત્રણ મહિનામાં 53 કેસ નોંધાયા

વ્યાજખોરો સામેની કાર્યવાહીમાં સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે ઓક્ટોબરથી સઘન ડ્રાઈવ શરૂ કરાઈ છે. લોકો માનસિક દબાણ અનુભવતા હતા. ટીમો બનાવી ગેરકાયદેસર વ્યાજખોરોની તપાસ શરૂ કરાઈ છે. ટીમોએ ગુપ્ત રીતે તપાસ કરી છે. જેમાં કેટલાક લોકો રજિસ્ટ્રેશન વગર આ ધંધો કરતા હતા. તેમાં રેડ પાડીને અમે સાહિત્ય, રેકોર્ડ જપ્ત કર્યા છે. તથા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. જેમાં વર્ષ 2022ના છેલ્લા ત્રણ મહિનામાં 53 કેસ નોંધાયા છે.

 

103 ગુનામાં 111 આરોપીઓ સંડોવાયેલા

સુરતમાં 9 દિવસમાં 103 ગુના નોંધાયા છે. તથા 103 ગુનામાં 111 આરોપીઓ સંડોવાયેલા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ પોલીસ સક્રિય થઇ છે. ત્યારે વ્યાજખોર વિરુદ્ધ સુરત પોલીસની લાલ આંખ થઇ છે. જેમાં ઝોન 5માં વ્યાજખોરી કરતા 30 વ્યાજ ખોર વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે. તેમજ અમરોલી, ઉતરાણ, જહાંગીપુરા પોલીસ મથક વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે..