લીહોડા હાઈસ્કુલ દહેગામ ખાતે વાલી મીટીંગ યોજાઈ..

શ્રી ગાયત્રી વિધામંદિર લીહોડા ખાતે ધોરણ -10 ના વિધાર્થીઓની વાલી મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં કેળવણી મંડળના પ્રમુખ જયદીપસિંહ ઝાલા અને શાળાના આચાર્ય શ્રી બી.જી. ચૌધરીએ વિધાર્થીઓના પ્રથમ પરીક્ષા ના પરિણામ, હાજરીમાં નિયમિતતા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, વિધાર્થી ઘડતરમાં વાલી – શિક્ષકનો ફાળો, ચારિત્ર્ય ઘડતર, બોર્ડની પરીક્ષાના તૈયારી, મૂલ્ય શિક્ષણ વગેરે સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકાબેને કયુંઁ હતું.