જામનગર જિલ્લા વાલ્મિકી યુવા સંગઠનના પ્રમુખ તરીકે વિજયભાઈની કરાઈ નિમણુંક.

જીએનએ જામનગર: ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન જેના દ્વારા સમાજના લોકો માટે અનેક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે અને આ યુવા સંગઠનના યુવાઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવનાર સમયમાં પણ સમાજના લોકો વધુ પ્રગતિ સાથે આગળ વધે તેવા કાર્યોને અંજામ આપતા રહેશે.
વાલ્મિકી યુવા સંગઠનના વિવિધ જિલ્લાઓમાં નિયુક્તિના ભાગરૂપે જામનગર જિલ્લાના યુવા સંગઠનના પ્રમુખ તરીકે બનાસકાંઠાના પાલનપુરથી સરદારભાઈ પુરબિયાના માર્ગદર્શન હેઠળ વિજયભાઈ વેલજીભાઈ બાબરીયાની જામનગર ખાતે નિયુક્તિ કરવામાં આવી છે. વિજયભાઈ અગાઉ અમદાવાદ ખાતેની મિશન સુરક્ષા પરિષદના જામનગર જિલ્લા ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. ત્યારે હવે તેમને જામનગર જિલ્લામાં રહેતા વાલ્મિકી સમાજના લોકો માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિયુક્તિ બદ્દલ બંટીભાઈ મકવાણા, ગાંધીધામ, પ્રદીપભાઈ વાઘેલા, અમદાવાદ , મહેશભાઈ બાબરીયા તેમજ સ્નેહીજનો, મિત્રો અને વાલ્મિકી સમાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
