મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ છે. મહેસાણા એ મોદીનું હોમ ટાઉન અને નીતિનભાઈ પટેલનો ગઢ છે. અહીંથી ભાજપ માટે સારા સમાચાર છે. પાલિકાના ઉપપ્રમુખે સભાનું સંચાલન કરતાં 17 બળવાખોર સભ્યોએ પ્રમુખ સામે મતદાન કરી પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસના આંતરિક જૂથવાદમાં કોંગ્રેસને કારમો ઝટકો લાગ્યો છે. ભાજપના ટેકાથી કુલ 29 સભ્યોએ મતદાન કર્યું હતું. 5 વર્ષના સમય ગાળામાં કોંગ્રેસના પાલિકા પ્રમુખ સામે બે વાર અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ છે. જે જોતાં હવે ભાજપ કોંગ્રેસના બળવાખોરોની સાથે મળી સત્તા સાંભળશે. જેમાં અનુસૂચિત જાતિના પાલિકા પ્રમુખ અને ભાજપના નવીન પરમાર સત્તાનું સુકાન સંભાળે તેવા એંધાણ છે. પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસના હાથમાં પાલિકાનો તાજ આવ્યો હતો. જોકે, કોંગ્રેસ આ સત્તા સંભાળી શકી નથી.
Related Posts
*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ (GUTS)નો ત્રીજો પદવીદાન સમારોહ સંપન્ન* *ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ૧૭૧ વિદ્યાર્થીઓને…
IMAS નેશનલ કરાટે ચેમ્પયનશિપમાં બ્લેક બેલ્ટ સિનિયર કેટેગરીમાં અમદાવાદના આરવ રાજપૂત એ ગોલ્ડ મેડલ જીત્યો
IMAS નેશનલ કરાટે ચેમ્પયનશિપમાં બ્લેક બેલ્ટ સિનિયર કેટેગરીમાં અમદાવાદના આરવ રાજપૂત એ ગોલ્ડ મેડલ જીત્યો. આરવ એ ગુજરાત ને કુલ…
અમદાવાદ સહિત રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈ મહત્વના સમાચાર 8 શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો.
અમદાવાદ સહિત રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈ મહત્વના સમાચારઆઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યોરાત્રે 1 વાગ્યેથી…
