મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ છે. મહેસાણા એ મોદીનું હોમ ટાઉન અને નીતિનભાઈ પટેલનો ગઢ છે. અહીંથી ભાજપ માટે સારા સમાચાર છે. પાલિકાના ઉપપ્રમુખે સભાનું સંચાલન કરતાં 17 બળવાખોર સભ્યોએ પ્રમુખ સામે મતદાન કરી પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસના આંતરિક જૂથવાદમાં કોંગ્રેસને કારમો ઝટકો લાગ્યો છે. ભાજપના ટેકાથી કુલ 29 સભ્યોએ મતદાન કર્યું હતું. 5 વર્ષના સમય ગાળામાં કોંગ્રેસના પાલિકા પ્રમુખ સામે બે વાર અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ છે. જે જોતાં હવે ભાજપ કોંગ્રેસના બળવાખોરોની સાથે મળી સત્તા સાંભળશે. જેમાં અનુસૂચિત જાતિના પાલિકા પ્રમુખ અને ભાજપના નવીન પરમાર સત્તાનું સુકાન સંભાળે તેવા એંધાણ છે. પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસના હાથમાં પાલિકાનો તાજ આવ્યો હતો. જોકે, કોંગ્રેસ આ સત્તા સંભાળી શકી નથી.
Related Posts
કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે”રૂહાની” – ગુરસિમરન કૌર દ્વારા એકલ કલા પ્રદર્શન.
કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે“રૂહાની” – ગુરસિમરન કૌર દ્વારા એકલ કલા પ્રદર્શન. પ્રદર્શન નું ઉદ્ઘાટન ઇમરાન ખેડાવાલા (ધારાસભ્ય જમાલપુર-ખાડિયા, વિધાનસભા),…
અમદાવાદ સિવિલમાં 50 ટકા બેડ હવે ખાલી થઈ ગયા
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ હતી. આ લહેરમાં ગામડાંમાં વધારે પ્રમાણમાં કોરોના ફેલાયો હતો. હવે આ લહેર…
અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો*
*સંવેદનશીલતાનો વધુ એકવાર પરિચય આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો*…
