ઋષિકેશ પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં યોગનાં વિવિધ આસાનો સાથે સૂર્યોદય થયો. વિશ્વના 56થી વધુ દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓએ પ્રાતઃ કાળે વિખ્યાત યોગ ગુરુઓના માર્ગદર્શનમાં યોગ વિદ્યાઓને આત્મસાત્ કરવાનો પ્રારંભ કર્યો હતો. યોગના પિતામહ યોગ ગુરુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં પરમાધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ, કેન્દ્રીય પર્યટનપ્રધાન પ્રહલાદ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો અને અનેક દેશોથી આવેલા યોગાચાર્યોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યાર બાદ આ પ્રસંગે વિવિધ દેશોથી આવેલા કીર્તન બેન્ડ, ફિનલેન્ડ અને ક્યુબાથી આવેલા વિજય કૃષ્ણા અને અન્ય કીર્તનકારોએ સંગીત સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.
Related Posts
*ખેડાના ભનેર ગામ પાસે કઠલાલ કપડવંજ રોડ ઉપર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત* ત્રણ યુવાનોના કરૂણ મોત…
જામનગર રેલ્વે સ્ટેશન પર મળી આવેલ થાનગઢના 15 વર્ષીના કિશોરનું પરિવાર સાથે પુન:મિલન કરાવતું ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098
કોઈપણ સ્થળે બાળક એકલું કે મુશ્કેલીમાં જણાય તો ૨૪X૭ કાર્યરત ૧૦૯૮ ની મદદ લઈ શકાય છે, માહિતી આપનારની ઓળખ ગુપ્ત…
વાંચો..દાદીમાની બીજી પુણ્યતિથિએ કયા ઉદ્યોગપતિએ કર્યું ત્રીજીવાર કર્યું પ્લાઝમાનું દાન. સલામ છે કોરોના વોરિયરને….
🇮🇳🇮🇳 અમદાવાદ: વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે ત્યારે ડોક્ટર્સ, સફાઈકર્મીઓ, પોલીસ કર્મીઓ તેમજ સહુ કોઈ નિષવાર્થ સેવા સહકાર આપી…
