અમદાવાદના ઇંદિરા બ્રીજ પાસે મધર ડેરી નજીક કારમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હતી. જો કે કાર ચાલક કારમાં ફસાઇ જતા બહાર નીકળી શક્યો ન હતો. પચાસ વર્ષીય કાર ચાલક સિમ્સ હોસ્પિટલના પાછળના ભાગે રહેતો યોગેશ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો યોગેશ પ્રજાપતિ નામના વ્યક્તિ કાકાજી સસરાના મૃત્યુને લઈ શોક વ્યક્ત કરવા જઈ રહ્યા હતા ત્યારે બલેનો કારમાં અચાનક જ આગ લાગી હતી. જેમાં યોગેશભાઈનું મોત થયું છે
Related Posts
તમારી આસપાસ કોઈ કોરોનાનો દર્દી હશે, તો તમને ખબર પડી જશે…તમારા ફોનમાં આ એપ્લિકેશન ડાઊનલોડ કરો..
I recommend Aarogya Setu app to fight against COVID19. Please download and share it using this link Android : https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu…
અમદાવાદમાં આશ્રમ રોડ પર બાઈક સળગવાની ઘટના સામે આવી
અમદાવાદમાં આશ્રમ રોડ પર બાઈક સળગવાની ઘટના સામે આવી. કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ બાઈક આખી સળગી ગઈ. સમગ્ર ઘટના…
*મિશન હેલ્મેટ સંસ્કાર – આગામી પેઢીને માર્ગ સલામતી માટે શિક્ષિત કરવા અંગેની ઉમદા પહેલ*
*મિશન હેલ્મેટ સંસ્કાર – આગામી પેઢીને માર્ગ સલામતી માટે શિક્ષિત કરવા અંગેની ઉમદા પહેલ* અમદાવાદ, સંજીવ રાજપૂત, ભારતીય સંસ્કૃતિમાં બાળકના…
