હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને ખૂબ સચેત છે. પરંતુ તાજેતરમાં જ એક વાત ફેલાઈ હતી કે ચિકન અને ઈંડા ખાવાથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે, બાદમાં લોકોએ ચિકન અને ઈંડા ખાવાનું છોડી દીધું. લોકોમાં ફેલાયેલા આ ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સામે આવ્યા અને તેમણે સ્ટેજ પર બધાની સામે ચિકન ખાઈને લોકોના ડરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેસી રામારાવના દીકરા અને રાજ્ય સરકારના મંત્રી કેટી રામારાવ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી ઈટેલા રાજેન્દ્ર અને ટી શ્રીનિવાસ યાદવ સહિત સત્તાધારી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચિકન ખાતા દેખાયા
Related Posts
ખેડા બ્રેકીંગ ડાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીએ કરી આત્મહત્યા.
દિવ્યન્ત કિરીટભાઈ પરમાર નામના 33 વર્ષીય કોન્સ્ટેબલ કરી આત્મહત્યા સ્ટાફ ક્વાર્ટસમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા ક્યાં કારણને લઈ આત્મહત્યા…
નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ..
નવસારી…… નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ.. વિજલપોરનાં આકાર પાર્ક ખાતે લગ્નમાં પોલીસ ખાબકી મોટી સંખ્યામાં લોકો…
વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ
*વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ* અમદાવાદ:…
