હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને ખૂબ સચેત છે. પરંતુ તાજેતરમાં જ એક વાત ફેલાઈ હતી કે ચિકન અને ઈંડા ખાવાથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે, બાદમાં લોકોએ ચિકન અને ઈંડા ખાવાનું છોડી દીધું. લોકોમાં ફેલાયેલા આ ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સામે આવ્યા અને તેમણે સ્ટેજ પર બધાની સામે ચિકન ખાઈને લોકોના ડરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેસી રામારાવના દીકરા અને રાજ્ય સરકારના મંત્રી કેટી રામારાવ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી ઈટેલા રાજેન્દ્ર અને ટી શ્રીનિવાસ યાદવ સહિત સત્તાધારી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચિકન ખાતા દેખાયા
Related Posts
*📍દિલ્હી: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલુ*
*📍દિલ્હી: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલુ* યુપીના સીએમ યોગી આદિત્યનાથ બેઠકમાંથી બહાર નીકળ્યા બેઠકમાં યુપીની લોકસભા બેઠકો…
*અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ*
જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ ટ્રમ્પના મોહરા પહેરીને વિરોધ નોંધાવ્યો. કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ પાક વીમો ન મળતા ખેડુતોએ ટ્રમ્પના મોહરા…
*ગાંધીનગર જિલ્લા પંચાયતનું તા.20મીએ બજેટ પસાર થશેે*
વર્ષ ૨૦૧૯-૨૦પુર્ણ થવા જઇ રહ્યું છે અને નવું નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧શરૂ થઇ રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતનું સ્વભંડોળ સહિતનું…
