હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને ખૂબ સચેત છે. પરંતુ તાજેતરમાં જ એક વાત ફેલાઈ હતી કે ચિકન અને ઈંડા ખાવાથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે, બાદમાં લોકોએ ચિકન અને ઈંડા ખાવાનું છોડી દીધું. લોકોમાં ફેલાયેલા આ ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સામે આવ્યા અને તેમણે સ્ટેજ પર બધાની સામે ચિકન ખાઈને લોકોના ડરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેસી રામારાવના દીકરા અને રાજ્ય સરકારના મંત્રી કેટી રામારાવ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી ઈટેલા રાજેન્દ્ર અને ટી શ્રીનિવાસ યાદવ સહિત સત્તાધારી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચિકન ખાતા દેખાયા
Related Posts
*સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિવસ ભવ્ય ઉજવણી કરાઈ*
*સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિવસ ભવ્ય ઉજવણી કરાઈ* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૭૬મો પ્રજાસત્તાક…
આજથી શરૂ થતાં વિધાનસભાના બજેટ સત્રમાં લવજેહાદનું બિલ થઈ શકે છે પસાર
આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે લવજેહાદનું બિલ વિધાનસભામાં પસાર થવાની પુરી શક્યતા છે. બીજી તરફ…
જેએમસીના વોટર વર્કસ વિભાગ દ્વારા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ વોર્ડ 6માં વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા જીએનએજામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા 15…
