હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને ખૂબ સચેત છે. પરંતુ તાજેતરમાં જ એક વાત ફેલાઈ હતી કે ચિકન અને ઈંડા ખાવાથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે, બાદમાં લોકોએ ચિકન અને ઈંડા ખાવાનું છોડી દીધું. લોકોમાં ફેલાયેલા આ ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સામે આવ્યા અને તેમણે સ્ટેજ પર બધાની સામે ચિકન ખાઈને લોકોના ડરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેસી રામારાવના દીકરા અને રાજ્ય સરકારના મંત્રી કેટી રામારાવ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી ઈટેલા રાજેન્દ્ર અને ટી શ્રીનિવાસ યાદવ સહિત સત્તાધારી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચિકન ખાતા દેખાયા
Related Posts
સુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા પહેલા…..
રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો…
*📌ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં ભારતીયો માટે નો એન્ટ્રી* 5 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો છે
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલની ઘટના. અફઘાનિ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા.
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલની ઘટના. અફઘાનિ વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. ગુજરાત યુનિવર્સિટી બોયસ હોસ્ટેલ ખાતે અફઘાનિ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની…
