હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને ખૂબ સચેત છે. પરંતુ તાજેતરમાં જ એક વાત ફેલાઈ હતી કે ચિકન અને ઈંડા ખાવાથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે, બાદમાં લોકોએ ચિકન અને ઈંડા ખાવાનું છોડી દીધું. લોકોમાં ફેલાયેલા આ ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સામે આવ્યા અને તેમણે સ્ટેજ પર બધાની સામે ચિકન ખાઈને લોકોના ડરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેસી રામારાવના દીકરા અને રાજ્ય સરકારના મંત્રી કેટી રામારાવ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી ઈટેલા રાજેન્દ્ર અને ટી શ્રીનિવાસ યાદવ સહિત સત્તાધારી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચિકન ખાતા દેખાયા
Related Posts
સિનિયર સિટીઝન માટે પોલીસ કર્મીઓ ની પ્રશંશનીય કામગીરી.
ગુજરાત પોલીસ ને બિરદાવવા માટે ના અનેક કારણો છે. હાલ કોરોનાગ્રસ્ત ગુજરાત ના પ્રજાજનો ને આ આફત માં થી બહાર…
લોકડાઉન :4 (મિડલ ક્લાસ) વિસંવાદ..- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
“પ્રભુ.. હવે તારે ન મારે છેટુ નથી મારા વ્હાલા.. જેવા તારા કમાડ ખૂલે કે, હુ સહુથી પેલ્લો તારા દર્શને હોઈશ…
સ્થાનિક સ્વરાજ્યમાં અનામતના રોટેશનમાં હસ્તક્ષેપ કરવાનો હાઈકોર્ટનો ઈન્કાર
સ્થાનિક સ્વરાજ્યમાં અનામતના રોટેશનમાં હસ્તક્ષેપ કરવાનો હાઈકોર્ટનો ઈન્કાર અનામતના રોટેશનનો અમલ યોગ્ય ન થતો હોવાની કરાઈ હતી અરજી અનામત રોટેશનની…
