*જામનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા વાળંદ જ્ઞાતિની વાડી, નીલકમલ સોસાયટી પાછળ, જામનગર. સમય : સવારે 9.30-1.00 કલાકે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન થશે. સર્વ રોગ નિદાન કેમ્પમાં સ્ત્રીરોગ, બાળરોગ , ચામડીના રોગો, આંખ તથા દાંતના રોગ નું નિદાન નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવશે અને પ્રાથમિક સારવારમાં દવાઓ તથા માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પ માં ડૉ. આર ટી જાડેજા ( આંખ રોગ નિષ્ણાત), ડો. સુરેશ ઠાકર ( બાળ રોગ ના નિષ્ણાત), ડો. ગાયત્રીબેન ઠાકર ( સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. રાજેન્દ્ર ઠાકર ( ચામડી રોગ નિષ્ણાત), ડો. જયદીપ ઠક્કર ( જનરલ ફિઝિશ્યન) સેવા આપશે.શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિના પ્રમુખ શ્રી મનોજભાઈ અડાલજા દ્વારા જામનગરની જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે નિમંત્રણ સાથે અપીલ કરવામાં આવી છે.
Related Posts
*હાલોલ પાવાગઢ રોડ પર કુટણખાનાનો પર્દાફાશ*
હાલોલઃ હાલોલ પોલીસે ડમી ગ્રાહક મોકલીને પાવાગઢ રોડ પર આવેલા સિંધાવાવ તળાવ પાસેથી કુટણખાનુ ચલાવતા શખ્સ અને બે પરપ્રાંતિય યુવતીઓને…
ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા કોરોના પોઝિટિવ.
ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયાને કોરોનાહાલ ઘરે લઇ રહ્યા છે સારવાર
કાલે નિર્જળા એકાદશી (જેઠ સુદ-૧૧) છે.(ભીમ એકાદશી છે.)
યુધિષ્ઠિરે કહ્યું : “હે દુ:ખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય…
