મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવોર્ડની પ્રસ્તુતિ-ગૃહ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી**ગુજરાતના જેલ વિભાગને ‘‘ગુડ પ્રેક્ટીસીસ ઓન ક્રાઇમ ક્રિમીનલ ટ્રેકીંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ ICJS’’ ની વાર્ષિક મિટીંગમાં આ સિસ્ટમના શ્રેષ્ઠ અમલીકરણ માટેનો દ્વિતીય પુરસ્કાર-એવોર્ડ તાજેતરમાં પ્રાપ્ત થયો છે**મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન એવોર્ડની પ્રસ્તુતિ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન.રાવે કરી હતી*.*ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઉપક્રમે NIC દ્વારા આ CCTNS પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ICJS પોર્ટલની શરૂઆત કરવામાં આવેલી છે*.*આ પોર્ટલ પર રાષ્ટ્રીય કક્ષાએ પોલીસ, કોર્ટ, પ્રિઝન્સ, ગુનામાં સંડોવાયેલ વાહનો, ગુમ/બિનવારસી વ્યકિતઓની માહિતી, વિઝા-પાસપોર્ટ, કેન્દ્રીય એજન્સીઓ, એફએસએલ, પ્રોસીકયુશન, એલીસ(આર્મસ લાયસન્સ) વિભાગોના ડેટાનો વિનિમય કરીને તપાસ કરનાર એજન્સીને એક જ ડીજીટલ સીક્યોર પ્લેટફોર્મ ઉપર ડેટા જોઈ શકે તેવી વ્યવસ્થા કાર્યાન્વિત કરેલી છે*.*કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ સીસીટીએનએસ-આઇ.સી.જે.એસ.પ્રોજેક્ટ હેઠળ રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલ અમલીકરણ અંગેના એવોર્ડની થયેલી જાહેરાતમાં આઇ.સી.જે.એસ. પ્રોજેકટ હેઠળ વિવિધ સ્તંભો પોલીસ, પ્રિઝન, એફ.એસ.એલ., પ્રોસીક્યુશનમાં કરેલી કાર્યવાહી અંગેના એવોર્ડ અન્વયે દેશના ૩૭ રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશમાં શ્રેષ્ઠઅમલીકરણ બદલ પ્રિઝન સ્તંભમાં ગુજરાતને દ્વિતીય ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો છે*.*આ એવોર્ડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રસ્તુત કરવાના અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા*.*મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ રાજ્યની જેલોના વડા અને અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવના પુસ્તક ‘જેલ ઇતિહાસ અને વર્તમાન’ના અંગ્રેજી સંસ્કરણ ‘જેઇલ-પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ’ પુસ્તકનું વિમોચન પણ કર્યુ હતું*.ગાંધી-સરદાર જેવા યુગ પુરૂષોની સાથે સંકળાયેલો ગુજરાતની જેલોનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાત સરકાર દ્વારા થઇ રહેલી કેદી સુધારણાની કામગીરીનો ચિતાર, પુસ્તકના આ અંગ્રેજી સંસ્કરણના માધ્યમથી હવે દેશ-વિદેશના પ્રબુદ્ધ વાચકો સુધી પહોચતો થશે.*ડૉ. રાવનું પુસ્તક ‘જેલ ઇતિહાસ અને વર્તમાન’નું ગુજરાતી સંસ્કરણ આ અગાઉ ઓગષ્ટ-ર૦ર૧માં પ્રકાશિત થયેલું છે*. ___________સીએમ-પીઆરઓ/અરૂણ…. ……
Related Posts
*📌તોશાખાના કેસમાં પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત*
*📌તોશાખાના કેસમાં પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત* નીચલી કોર્ટનાં નિર્ણય બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ…
*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ*
કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો ઘઉં,૨૭૩૭ કિલો…
આજે તો લખી જ નાખું…. – પાર્થિવી અધ્યારુ શાહ.
પેલી વાર્તામાં આવે છે એ રીતે પોતાના પગમાં ધૂળ ન લાગે એ માટે પોતાના પગમાં જ પગરખા પહેરવા પડે ,…
