અમદાવાદના ખોરાક અને ઔષધ નિયમનના મદદનીશ કમિશનરનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો છે. મદદનીશ કમિશનર ડો.જે.એ પટેલે જ્યાં રેડ કરી તે મેડિકલ એજન્સી નેજ પત્ર લખી માહિતી આપી હતી કે અમે મીડિયાને કોઈ જાણ કરી નથી.12 ફેબ્રુઆરીએ ખોરાક અને ઔષધ નિયમન દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાપુનગર ઇન્ડિયા કોલોની રોડ પર આવેલી જયપ્રભુ મેડિકલ એજન્સીમાં તપાસ કરી હતી.મદદનીશ કમિશનરએ પત્ર લખી જાણ કરતા અનેક સવાલો ઊભા થયા છે. તો અહી સવાલ એ છે કે, શું ડો.જે.એ.પટેલ જય પ્રભુ મેડિકલ એજન્સીને બચાવવા માગે છે. કેમ ડો. જે.એ.પટેલ મીડિયાને કોઈ માહિતી ન આપી હોવાની વાત કરે છે. શું મદદનિશ કમિશનર ડૉ..જે.એ.પટેલ મેડિકલ એજન્સીમાં દબાણમાં છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
Related Posts
ફરી એકવાર શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા
ફરી એકવાર શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા સરકારના આદેશોનું ઉલ્લંઘન કરતું ટ્યુશન કલાસીસ ઝડપાયું અંદાજે 10 થી…
*૧૮ મે વિશ્વ સંગ્રહાલય દિવસ: ૯ થી ૧૯ મી સદીના જામનગરના મધ્યે લાખોટા તળાવનું ઐતિહાસિક વારસાનું વર્ણન કરતું પુરાતત્વીય સંગ્રહાલય*…
દારૂબંધીની ઐસી કી તૈસી, કચ્છ બાદ સુરત ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 52 લોકો ઝડપાયા
ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. કચ્છ બાદ હવે સુરતના…
