વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને વારસિયા પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. પાખંડી ધર્મગુરુની અનુયાયીઓ પોલીસ સ્ટેશનમાં બેરોકટોક ખાવાનું, ઠંડુ પીણું લોકઅપમાં આપી રહી છે. લોક અપમાં બેઠા બેઠા પાખંડીને તમામ સેવા મળી રહી છે. મહિલા લોકઅપમાં પ્લાસ્ટીકની કોથળીમાં કોઇ વસ્તુ આપતી હોય તેવું વીડીયોમાં કેદ થયું છે.પોલીસ સ્ટેશન ઓફિસરની હાજરીમાં તમામ પોલંપોલ ચાલી રહી છે. પોલીસે અનુયાયીને ખખડાવવાનું નાટક કર્યુ છે. સમગ્ર ઘટના બાબતે ડીસીપી ઝોન ૪ના અચલ ત્યાગી કાર્યવાહી કરવાની વાત કરી છે. દીશા નામની યુવતી અને પીએસઓ સામે જરુરી કાર્યવાહી થશે. પીએસઓને બેદરકારી બાબતે નોટીસ અપાશે. બેદરકારી બાબતે પીએસઓએ ખુલાસો કરવો પડશે.
Related Posts
જયપુર માં નેશનલ કરાટે ચેમ્પયનશિપમાં આરવ રાજપૂત ગુજરાત ને રીપ્રેસંત કરશે.
આરવ રાજપૂત કે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી કરાટે કરતાં બ્લેક બેલ્ટ ની ડીગ્રી હાંસલ કરી છે. તેમણે તેમની પહેલી ડીગ્રી…
*માં આશાપુરાના દર્શને ચાલતા જતા પદયાત્રીઓ માટે 76 વર્ષના બાનો આખો પરિવાર છેલ્લા 31 વર્ષથી સતત સેવા આપે છે..*
*માં આશાપુરાના દર્શને ચાલતા જતા પદયાત્રીઓ માટે 76 વર્ષના બાનો આખો પરિવાર છેલ્લા 31 વર્ષથી સતત સેવા આપે છે..* જામનગર,…
*📌ઈમરાન ખાનની ધરપકડ…* 🔸ઈસ્લામાબાદમાં ઘણી જગ્યાએ આગજની અને તોડફોડ 🔸કલમ 144 લાગુ પડાઈ
