વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી સરકારે ટેબલેટ ન આપ્યાં હોવાની વિગત સામે આવી છે. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી. સરકારે પ્રથમ વર્ષના 3,09,651 વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટના એક હજાર રૂપિયા ઉઘરાવ્યાં હતા. એક હજાર રૂપિયા ઉઘરાવ્યાં બાદ સરકારે અડધોઅડધ વિદ્યાર્થીઓને ટેબલેટ આપ્યા જ નહીં.નમો યોજના હેઠળ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 1 હજાર રૂપિયામાં ટેબલેટ આપવામાં આવે છે. ત્યારે આ અંગે સરકારે જવાબ આપ્યો કે કંપનીએ હજીપણ 80 હજાર ટેબલેટ આપવાના બાકી છે. ટેબલેટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પરેશભાઈનો આક્ષેપ ખોટા અને પાયા વગરનો છે.
Related Posts
*વિશ્વ શ્રવણશક્તિ દિવસગાંધીનગરમાં વિશેષ કાર્યક્રમ*
ગાંધીનગર આવતીકાલે સમગ્ર વિશ્વની સાથે ભારત પણ વિશ્વ શ્રવણશક્તિ દિવસ એટલે કે વર્લ્ડ હિયરિંગ ડે ના રોજ જનજાગૃતિ કાર્યક્રમો યોજશે.…
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ત્યા સેક્રેટરી મનોજ પટેલ પણ પોઝિટિવ
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ત્યા સેક્રેટરી મનોજ પટેલ પણ પોઝિટિવ, ગઈકાલે બે કમાન્ડો કોરોનાગ્રસ્ત થયા હતા. આ એક જ કાર્યાલયમા મંત્રી…
KIITના ડૉ.સામંતના સહયોગથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા શરૂ કરશે કાયદાની અનોખી સંસ્થા
KIITના ડૉ.સામંતના સહયોગથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા શરૂ કરશે કાયદાની અનોખી સંસ્થા. કાયદાના શિક્ષક તથા યુવા વકીલ પોતાના કાર્ય કૌશલ્યને…
