ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે અને કોરોના મહામારી હળવી બનવાને પગલે માગ વધતી વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની સઉદી અરામકોની ત્રીજા કવાર્ટરની ચોખ્ખી આવક વધીને ૩૦.૪ અબજ ડોલર રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીની આવક ૧૧.૮ અબજ ડોલર હતી.ગયા વર્ષે લોકડાઉન અને કોરોના મહામારીને કારણે માગમાં ઘટાડો અને ક્રૂડના ભાવમાં ઘટાડો થવાને કારણે કંપનીના નફામાં મોટો ઘટાડો થયો હતો.ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૮૩.૫૦ ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. અરામકોના સીઇઓ અમીન નાસેરના જણાવ્યા અનુસાર આર્થિક પ્રવૃત્તિઓ વધવાને કારણે ત્રીજા કર્વાટરના પરિણામ સારા આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે અમને આશા છે કે નજીકના ભવિષ્યમાં પણ ક્રૂડની માગ સારી રહેશે. સઉદી અરામકો ડિસેંમ્બરથી ક્રૂડના દૈનિક ઉત્પાદનમાં ચાર લાખ બેરલનું ઉત્પાદન વધારવાનું વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં અરામકોની ત્રીજા કવાર્ટરની આવક ૨૧.૩ અબજ ડોલર હતી. ત્રીજા કવાર્ટરના પરિણામ પછી કંપનીના શેરમાં ૦.૪ ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. ૦.૪ ટકાના વધારા પછી કંપનીના એક શેરનો ભાવ વધીને ૩૭.૯૦ રિયાલ અથવા ૧૦.૧૦ ડોલર થઇ ગયો છે. આ સાથે જ કંપનીનો માર્કેટ કેપ બે લાખ કરોડ ડોલર થઇ ગયું છે. જે એપલના માર્કેટ કેપથી થોડોક જ ઓછો છે.ત્રીજા કવાર્ટરના પરિણામની સાથે કંપનીએ ૧૮.૮ અબજ ડોલરના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અરામકોના ૯૮ ટકા શેર સઉદી અરેબિયાની સરકાર પાસે જ છે.
Related Posts
રાજસ્થાનથી આવેલ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ સફળ રીતે કાઢતા ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તબીબો
રાજસ્થાનથી આવેલ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ સફળ રીતે કાઢતા ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તબીબો અમદાવાદ: અફાટ રણમાં…
*ધ્રોલ તાલુકાના શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવતાં કૃષિમંત્રી*
*ધ્રોલ તાલુકાના શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવતાં કૃષિમંત્રી* જીએનએ જામનગર: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ…
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે માટે સૌને દિશામા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટરશ ડી.એ.શાહનું આહવાન
મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરારરાખવાની કટિબધ્ધતા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે…
