ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે અને કોરોના મહામારી હળવી બનવાને પગલે માગ વધતી વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની સઉદી અરામકોની ત્રીજા કવાર્ટરની ચોખ્ખી આવક વધીને ૩૦.૪ અબજ ડોલર રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીની આવક ૧૧.૮ અબજ ડોલર હતી.ગયા વર્ષે લોકડાઉન અને કોરોના મહામારીને કારણે માગમાં ઘટાડો અને ક્રૂડના ભાવમાં ઘટાડો થવાને કારણે કંપનીના નફામાં મોટો ઘટાડો થયો હતો.ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૮૩.૫૦ ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. અરામકોના સીઇઓ અમીન નાસેરના જણાવ્યા અનુસાર આર્થિક પ્રવૃત્તિઓ વધવાને કારણે ત્રીજા કર્વાટરના પરિણામ સારા આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે અમને આશા છે કે નજીકના ભવિષ્યમાં પણ ક્રૂડની માગ સારી રહેશે. સઉદી અરામકો ડિસેંમ્બરથી ક્રૂડના દૈનિક ઉત્પાદનમાં ચાર લાખ બેરલનું ઉત્પાદન વધારવાનું વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં અરામકોની ત્રીજા કવાર્ટરની આવક ૨૧.૩ અબજ ડોલર હતી. ત્રીજા કવાર્ટરના પરિણામ પછી કંપનીના શેરમાં ૦.૪ ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. ૦.૪ ટકાના વધારા પછી કંપનીના એક શેરનો ભાવ વધીને ૩૭.૯૦ રિયાલ અથવા ૧૦.૧૦ ડોલર થઇ ગયો છે. આ સાથે જ કંપનીનો માર્કેટ કેપ બે લાખ કરોડ ડોલર થઇ ગયું છે. જે એપલના માર્કેટ કેપથી થોડોક જ ઓછો છે.ત્રીજા કવાર્ટરના પરિણામની સાથે કંપનીએ ૧૮.૮ અબજ ડોલરના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અરામકોના ૯૮ ટકા શેર સઉદી અરેબિયાની સરકાર પાસે જ છે.
Related Posts
📌સુરત: ઉધના વિસ્તારની ઘટના* લક્ષ્મમી નારાયણ ઇન.માં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો
*📌સુરત: ઉધના વિસ્તારની ઘટના* લક્ષ્મમી નારાયણ ઇન.માં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો ખાલી પ્લોટમાં મળી આવ્યો મૃતદેહ 30 થી 40 ઉંમર…
*અમદાવાદના ચાંદલોડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ*
*અમદાવાદના ચાંદલોડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં મિશન ફોર મિલિયન…
ધન્ય છે દેશની દીકરીઓને.. “અંગદાન એ જ મહાદાન”ના મંત્રને સાર્થક કરી મૃતક માતાના અંગોનું દાન કરી માતાની યાદોને જીવંત બનાવી..
ધન્ય છે દેશની દીકરીઓને.. “અંગદાન એ જ મહાદાન”ના મંત્રને સાર્થક કરી મૃતક માતાના અંગોનું દાન કરી માતાની યાદોને જીવંત બનાવી..…
