હવે તમારા પાડોશની દુકાન પર વેચાતી મિઠાઇઓ પણ એક્સપાયરી ડેટ સાથે આવશે. આ મિઠાઇ ક્યારે બની છે અને તમે તેને કઇ તારીખ સુધી ખાઇ શકો છો, તેની જાણકારી નૉન-પેક્ડ મિઠાઇઓ પર હશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ (FSSAI) મિઠાઇની દુકાનો માટે આ જાણકારી આપવી ફરજિયાત બનાવી છે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. અત્યાર સુધી પેક્ડ મિઠાઇના ડબ્બાઓ પર જ ‘Best Before’ ડેટ લખવી ફરજિયાત છે.મિઠાઇઓનું વેચાણ ફેસ્ટિવ સીઝનમાં ખૂબ જ વધુ થાય છે. આ દરમિયાન વાસી અને એક્સપાયર્ડ મિઠાઇઓ વેચાવાની ખબરો આવતી રહે છે. કન્ઝ્યુમર્સની આ ફરિયાદો બાદ FSSAIએ આ પગલુ લીધું છે.
Related Posts
*પ્રવાસી ભારતીય કેન્દ્ર હવે સુષમા સ્વરાજ ભવન*
નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો જન્મ દિવસ છે. આ દિવસે વિદેશ મંત્રાલયે પ્રવાસી ભારતીય કેન્દ્રનું…
કોરોના પરિસ્થિતિ વણસતા હાલ રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ કર્યો છે.
જામનગર કોરોના પરિસ્થિતિ વણસતા હાલ રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે…
*માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી*
*માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન…
