અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે . અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી . આ બેઠકમાં મનપાના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા . આ બેઠકમાં હવે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે . હવે અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . એએમસીએ લીધો નિર્ણય અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . આ દરમિયાન તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે આ સિવાય જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં . બસમાં પ્રવાસ કરવા દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે .
Related Posts
ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા બરેલી મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી.
*📌ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા બરેલી મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ,…
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુત્રી સાથે દર્શન કરતા અભિનેત્રી રવિના ટંડન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુત્રી સાથે દર્શન કરતા અભિનેત્રી રવિના ટંડન સોમનાથ: સંજીવ રાજપૂત: ભાતતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના…
૭૨૧ ગ્રામ ગાંજો તથા અંગ ઝડતી માંથી રોકડા રૂ.૬૧૦/- મળી કુલ કિ.રૂ.૭,૮૨૦/- ના મુદ્દામાલ ઝડપાયો
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદાપોલીસ ૭૨૧ ગ્રામ ગાંજો તથા અંગ ઝડતી માંથી રોકડા રૂ.૬૧૦/- મળી…
