અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે . અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી . આ બેઠકમાં મનપાના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા . આ બેઠકમાં હવે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે . હવે અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . એએમસીએ લીધો નિર્ણય અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . આ દરમિયાન તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે આ સિવાય જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં . બસમાં પ્રવાસ કરવા દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે .
Related Posts
રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ મહત્વના અહેવાલ
નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પરીક્ષા યોજાય તેવી સંભાવનાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં કરવામાં કરાઈ શકે છે જાહેરાતપરીક્ષા યોજવાને લઈ…
*📍રામ મંદિરનો ધ્વજદંડ બનાવનાર સાથે છેતરપિંડી*
*📍રામ મંદિરનો ધ્વજદંડ બનાવનાર સાથે છેતરપિંડી* અમદાવાદમાં પ્રોપર્ટી નાં માલિકની જાણ બહાર પાંચ કરોડની લોન લીધી, જાણ થતાં જ…
ગાંધીજીએ બાળપણમા ચોરી કરી હતી
વિનોદ ભટ્ટની બાળપણમાં વાચેલી વાર્તાઓ…. ૧. ગાંધીજીએ બાળપણમા ચોરી કરી હતી. સ્વર્ગમાં સજા કરવા અંગે કમિટી બેઠી. બધાએ સર્વાનુમતે નક્કી…
