અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે . અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી . આ બેઠકમાં મનપાના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા . આ બેઠકમાં હવે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે . હવે અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . એએમસીએ લીધો નિર્ણય અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . આ દરમિયાન તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે આ સિવાય જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં . બસમાં પ્રવાસ કરવા દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે .
Related Posts
સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડવાનાં બદલામાં યમનમાં કરી એર સ્ટ્રાઈક, 31 લોકોનાં મોત
સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડ્યા બાદ બદલો લેવાને લઈને ભારતીય સમય મુજબ શનિવારે મોડી રાત્રે સંઘર્ષગ્રસ્ત યમનમાં એર સ્ટ્રાઈક…
*📌ગોવામાં SCO વિદેશ મંત્રીઓની બેઠક* આ બેઠક 4-5 મે વચ્ચે ગોવામાં યોજાશે જેમાં મધ્ય એશિયાઈ દેશોના વિદેશ મંત્રીઓ…
*સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી*
*સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી* પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલભાઇ ચૌધરીએ…
