અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે . અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી . આ બેઠકમાં મનપાના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા . આ બેઠકમાં હવે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે . હવે અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . એએમસીએ લીધો નિર્ણય અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . આ દરમિયાન તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે આ સિવાય જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં . બસમાં પ્રવાસ કરવા દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે .
Related Posts
અમદાવાદ શહેર પોલીસ માટે મહત્વના સમાચાર…. ત્રણ પીઆઇ ની આંતરિક બદલી…
અમદાવાદ શહેર પોલીસ માટે મહત્વના સમાચાર…. ત્રણ પીઆઇ ની આંતરિક બદલી… સરદાર નગર પીઆઇ એચ બી પટેલ ને સ્પેશ્યલ બ્રાન્ચમાં…
જામનગર ખાતે યોજાયેલ ડાયરામાં રાજકીય રંગ સાથે જોવા મળ્યો નોટોનો વરસાદ જામનગર: જામનગર ખાતે ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહ…
સરકાર, તંત્ર અને પ્રતિનિધિઓ ના સમન્વય દ્વારા બહુ જલદી જિલ્લાની વિકટ પરિસ્થિતિમાં આવશે સુધારો: કોરોના હારશે અને લોકો જીતશે !
દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા કોરોના મહામારીમાં લોકોની વહારે આવ્યા. સરકાર, તંત્ર અને પ્રતિનિધિઓ ના સમન્વય દ્વારા બહુ જલદી જિલ્લાની વિકટ…
