અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે . છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે . અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી . આ બેઠકમાં મનપાના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા . આ બેઠકમાં હવે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે . હવે અમદાવાદમાં BRTS અને AMTC ની બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . એએમસીએ લીધો નિર્ણય અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે શહેરમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને 6 જાન્યુઆરી એટલે કે ગુરૂવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસો 50 ટકા ક્ષમતા સાથે ચાલશે . આ દરમિયાન તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે આ સિવાય જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા નથી તેને બસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં . બસમાં પ્રવાસ કરવા દરમિયાન તમામ લોકોએ કોરોના નિયમોનું પાલન કરવું પડશે .
Related Posts
સુરત મહાનગર પાલિકાના બજેટને મંજૂર કરવા બે દિવસ ચર્ચા ચાલશે
સુરતઃમહાનગર પાલિકાના 2020ના ડ્રાફ્ટ બજેટ 6003 કરોડનું રજૂ કરાયું હતું. જેમાં સ્થાયી સમિતીએ 126.85 કરોડનો વધારો કરીને 6130 કરોડ સાથેનું…
નાના રાયપરાના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોત
નાના રાયપરાના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોત રાજપીપલા, તા 6 નાંદોદ તાલુકા નાના રાયપરાગામના ના…
રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં
રાજશ્રી પોલિફિલ કંપની ખાતે ઇંડિયન રેસ ક્રોસ સોસાયટી,રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં રક્તદાન શિબિરમાં કંપનીના કુલ ૬૪…
