ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે AAP નેતાઓ કાર્યકર્તાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા તે સમયે એકાએક ઉગ્ર સૂત્રોચ્ચાર અને કમલમ ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠી ચાર્જ કરતાં મામલો બીચક્યો હતો. AAP નેતાઓ પર ગંભીર આરોપ કરતાં શ્રદ્ધા રાજપુતે કહ્યું હતું કે નશાની હાલતમાં AAP નેતાઓ ગેરવર્તન કરી રહ્યા હતા. વધુમાં શ્રદ્ધા રાજપુતે AAP નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારબાદ તમામ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જોકે ઇસુદાન પર નશો કર્યાનો આરોપ લાગતા તેમનું ચેકઅપ કરાયું હતું.દારૂના નશાનો આરોપ લાગતા પોલીસ ઈસુદાન ગઢવીને સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જઈ હતી. જ્યાં ઈસુદાનના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. બ્લડ ટેસ્ટ બાદ સાચું તથ્ય સામે આવ્યું છે. AAP નેતા ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જોકે FSLમાં મોકલાયેલો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઇસુદાન ગઢવીના FSL રિપોર્ટમાં 05થી વધુ આલ્કોહોલનુ પ્રમાણ સામે આવ્યું છે. સરકાર તરફથી વધુ એક ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ઈસુદાન ગઢવી સામે વધુ એક કેસ નોંધાશે. ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવામાં આવશે.ઇસુદાન ગઢવીએ ખુલાસો આપતા કહ્યું કે, મને એ નથી સમજાતું કે રિપોર્ટ કેમ પોઝિટિવ આવ્યો છે.ઇસુદાને પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેમણે કોઇપણ પ્રકારનો નશો નથી કર્યો અને તેઓ નશાના વિરોધ છે, પરંતુ તેમના રિપોર્ટમાં સાબિત થયું છે કે તેમના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ હતું. આજના રિપોર્ટ બાદઇસુદાન પર આક્ષેપ કરનાર શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે, ગુજરાત પોલીસ અને ન્યાતંત્ર પર ભરોસો હતો, મનોવિકૃત અને અણછાજતું વર્તન તે વાપરતા હતા તે પુરવાર કરે છે. પરંતુ મને ખબર હતી કે સત્ય સામે આવશે એટલે મને ન્યાય મળશે.
Related Posts
નાગરિકતા કાયદા અંગે પીએમ મોદીની હુંકાર દુનિયાભરના દબાણ છતા અમારો નિર્ણય અટલ
પીએમ મોદીએ યુપીના ચંદૌલીમાં એક સભાને સંબોધીત કરતા કહ્યું કે વિશ્વભરના દબાવ છતા અમે સીએએ ઉપર અમારો નિર્ણય જે છે…
સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસર અને વિવિધ પ્રવાસન આકર્ષણ કેન્દ્રોના સર્વગ્રાહી વિકાસ અને વ્યવસ્થાપન સંચાલન માટે ૩૧૩ અધિકારી-કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે
સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસર અને વિવિધ પ્રવાસન આકર્ષણ કેન્દ્રોના સર્વગ્રાહી વિકાસ…
*એક બાજુ બધા નેતાઓ બીજી બાજુ હું એકલો-નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ*
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરી પોતાની અવગણના થતી હોવાની વાત કરી. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના…
