તા.26/12/2021, ભાદસાઅ, સ્નેહમિલન સમારંભ નો અહેવાલ.ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ એકમ ના ઉપક્રમે તા.૨૬/૧૨/૨૦૨૧, રવિવાર ના રોજ મુખ્ય સંયોજક શ્રી જયવંત સિંહ જાડેજા, અઘ્યક્ષશ્રી ગુજરાત પ્રદેશ એકમ ની નીગેહબાની તળે, પૂજ્ય શ્રી લાલદાસ બાપુ,,જોધલ તિર્થ, ધોળકા ના આશિર્વચન નીચે, તેમજ અતિથિવિશેષ શ્રી દેવેન વર્મા,આપણુ,ગુજરાત ચેનલ ના સમાહર્તા, રમેશભાઈ જે. પરમાર ના સંચાલન તળે, અમદાવાદ ખાતે,શ્રી મહેન્દ્રભાઈ સી. મકવાણા સાહેબની સ્પોન્સર શિપ હેઠળ, ભારતીય દલીત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ એકમ ના કવિમિત્રો, કવિયિત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, શ્રી જયવંતસિંહ જાડેજા, શ્રી ડૉ.ભીખુભાઈ વેગડા, ધોળકા, ડૉ. મહેશ ચૌહાણ, ડૉ. મુંજાલ ભીમડાદકર, શ્રી કનુભાઈ પાલેકર ‘વોઈસ ઓફ ટ્રસ્ટ શ્રી ગૌતમભાઈ પરમાર (શિવમ થીયેટર)શ્રી પ્રવિણભાઈ વેગડા (સહયોગ માનવ સેવા ફાન્ડેશન ટ્રસ્ટ) એવમ જીલ્લા હોદ્દેદારો, શ્રી મહેન્દ્રભાઈ સી. મકવાણા, અમદાવાદ શહેર પ્રમુખ, શ્રી મૂળજીભાઈ બી. સોલંકી ‘સ્વર’ મહેસાણા જિલ્લા પ્રમુખ, શ્રી રમેશભાઈ જે.પરમાર, જિલ્લા પ્રમુખ સા. કાં. શ્રીમતી ડો. રેખાબેન ડોડિયા, મહિલા વિંગ પ્રમુખ, સાબરકાંઠા, શ્રીમતિ દક્ષાબેન એસ. પરમાર, ‘ઝંખના’ ,મહિલા વિંગ પ્રમુખ,મહેસાણા, કવિયત્રી મનોરમા વાણિયા ‘મનુ’અમદાવાદ, નટુભાઈ “ભીમ દુલારે”,શ્રી મહેશભાઈ એચ. પરમાર,શ્રી મનુભાઈ કે શ્રીમાળી’બેઝાર’શ્રી હર્ષદભાઈ મકવાણા, ‘વિશેષ’તેમજ કવિયિત્રીઓ, જાગૃતિ બેન’શિવા’, કુસુમબહેન પટેલ,સુનિતાબેન વણકર, મંજુલાબેન મકવાણા, કલાવતી પરમાર, રાકેશ બિન્દાસ’, રમણલાલ જાદવ,મહેશ સોલંકી, ”બેમન”, હસમુખભાઈ પરમાર, પ્રવીણભાઈ રાઠોડ, લોકસાહિત્યકાર,હરિશ વાઘેલા, જલ સાગર, ‘નરેશ જાદવ’ જાન’, મહેન્દ્ર મકવાણા,’ખામોશ’, વગેરેની હાજરીમાં સ્નેહમિલન સમારોહ તથા કવિ સંમેલન એવમ મહેન્દ્ર ભાઈ સી. મકવાણા ના પુસ્તક”અભ્યંતર” નું વિમોચન સમારોહ , સર્વે મિત્રો, સ્નેહીઓ ની હાજરીમાં રંગે ચંગે, વિશ્વકર્મા હોલ,ભલાભાઈ પાર્ક ચાર રસ્તા અમદાવાદ ખાતે શત પ્રતિ શત સફળતાપૂર્વક યોજાઈ ગયો.. સંમેલનનું સુચારુ સંચાલન ,બાવનશ્રી માસીક ના તંત્રી શ્રી રમેશભાઈ પરમારે એમની આગવી લાક્ષણિક ભાષા શૈલી થી કર્યું હતું.અહેવાલ:– પ્રવીણ વેગડા અમદાવાદ


