અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ પોરબંદર અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ વર્ષે 31 ડિસેમ્બરે તટરક્ષક દળ સેવામાંથી નિવૃત્ત થઇ રહેલા મહાનિદેશક ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં બે દિવસ માટે ફેરવેલ મુલાકાતે આવશે. પોરબંદર ખાતે CG એર એન્કલેવ ખાતે તેમને 51 મેન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.આ ફ્લેગ ઓફિસર 18 જાન્યુઆરી 1984ના રોજ ભારતીય તટરક્ષક દળમાં જોડાયા હતા અને તેઓ વેલિંગ્ટન ખાતે આવેલી સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ તેમજ વર્જિનિયાના યોર્કટાઉન ખાતે US તટરક્ષક દળ તાલીમ કેન્દ્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. રાષ્ટ્રપતિના તટરક્ષક મેડલ (PTM) અને તટરક્ષક મેડલ (TM)થી સન્માનિત, તેઓ તટરક્ષક દળના પ્રથમ એવા અધિકારી છે જેમને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.ICGના DG આ મુલાકાત દરમિયાન સેવાના અધિકારીઓ, કર્મીઓ, નાગરિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરશે. તેમની સાથે તટરક્ષિકાના પ્રમુખ શ્રીમતી જયંતી નટરાજન પણ જોડાશે.
Related Posts
*કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલીમની ધરપકડ*
સુરત વર્ષ 1992માં શહેરમાં થયેલા રમખાણના કેસમાં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલીમની ધરપકડ કરવામાં આવી છે. રમખાણના કેસની તારીખમાં કોર્ટમાં વારંવાર…
*વેલકમ ટુ જામનગર: જામનગર એસપી તરીકે દીપેન ભદ્રને એસપીનો સંભાળ્યો ચાર્જ. અસામાજિક તત્વો સાથે પોલીસ બેડામાં ચર્ચાનો દોર..*
જામનગર: જામનગર જિલ્લા અધિક્ષક તરીકે શ્વેતા શ્રીમાળીની બદલી થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક્કા ગણાતા અધિકારી એવા ડીસીપી દીપેન ભદ્રનની જામનગર…
રાજપીપળા ફોરેસ્ટર રેન્જર્સ કોલેજ દ્વારા શરૂ કરાયેલી દાનની દિવાલ ની દુર્દશા.
ઉમદા સેવાની ભાવના સાથે શરૂ કરાયેલી આ સેવા પ્રવૃતિનો બાળમરણ. રાજપીપલા, તા.13 રાજપીપળા ફોરેસ્ટર રેન્જર્સ કોલેજ દ્વારા શરૂ વડીયા પેલેસ…
