અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ પોરબંદર અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ વર્ષે 31 ડિસેમ્બરે તટરક્ષક દળ સેવામાંથી નિવૃત્ત થઇ રહેલા મહાનિદેશક ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં બે દિવસ માટે ફેરવેલ મુલાકાતે આવશે. પોરબંદર ખાતે CG એર એન્કલેવ ખાતે તેમને 51 મેન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.આ ફ્લેગ ઓફિસર 18 જાન્યુઆરી 1984ના રોજ ભારતીય તટરક્ષક દળમાં જોડાયા હતા અને તેઓ વેલિંગ્ટન ખાતે આવેલી સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ તેમજ વર્જિનિયાના યોર્કટાઉન ખાતે US તટરક્ષક દળ તાલીમ કેન્દ્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. રાષ્ટ્રપતિના તટરક્ષક મેડલ (PTM) અને તટરક્ષક મેડલ (TM)થી સન્માનિત, તેઓ તટરક્ષક દળના પ્રથમ એવા અધિકારી છે જેમને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.ICGના DG આ મુલાકાત દરમિયાન સેવાના અધિકારીઓ, કર્મીઓ, નાગરિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરશે. તેમની સાથે તટરક્ષિકાના પ્રમુખ શ્રીમતી જયંતી નટરાજન પણ જોડાશે.
Related Posts
અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી ઓનો હોબાળો
અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી ઓનો હોબાળો અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી…
સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસર અને વિવિધ પ્રવાસન આકર્ષણ કેન્દ્રોના સર્વગ્રાહી વિકાસ અને વ્યવસ્થાપન સંચાલન માટે ૩૧૩ અધિકારી-કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે
સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસર અને વિવિધ પ્રવાસન આકર્ષણ કેન્દ્રોના સર્વગ્રાહી વિકાસ…
આવતી કાલ તારીખ : 03/04/2020 શુક્રવારના રોજ સવારે ૦૯ વાગે ફરી એકવાર ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે.
આવતી કાલ તારીખ : 03/04/2020 શુક્રવારના રોજ સવારે ૦૯ વાગે ફરી એકવાર ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન…
