અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ પોરબંદર અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ વર્ષે 31 ડિસેમ્બરે તટરક્ષક દળ સેવામાંથી નિવૃત્ત થઇ રહેલા મહાનિદેશક ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં બે દિવસ માટે ફેરવેલ મુલાકાતે આવશે. પોરબંદર ખાતે CG એર એન્કલેવ ખાતે તેમને 51 મેન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.આ ફ્લેગ ઓફિસર 18 જાન્યુઆરી 1984ના રોજ ભારતીય તટરક્ષક દળમાં જોડાયા હતા અને તેઓ વેલિંગ્ટન ખાતે આવેલી સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ તેમજ વર્જિનિયાના યોર્કટાઉન ખાતે US તટરક્ષક દળ તાલીમ કેન્દ્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. રાષ્ટ્રપતિના તટરક્ષક મેડલ (PTM) અને તટરક્ષક મેડલ (TM)થી સન્માનિત, તેઓ તટરક્ષક દળના પ્રથમ એવા અધિકારી છે જેમને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.ICGના DG આ મુલાકાત દરમિયાન સેવાના અધિકારીઓ, કર્મીઓ, નાગરિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરશે. તેમની સાથે તટરક્ષિકાના પ્રમુખ શ્રીમતી જયંતી નટરાજન પણ જોડાશે.
Related Posts
પ્રાર્થના કે પ્રેમને ભારતના આત્મામાં જગાડનાર પં.ભરત વ્યાસને સ્કૂલોમાં પ્રાર્થના થતી રહેશે ત્યાં સુધી યાદ રાખવા પડશે. – દેવલ શાસ્ત્રી
Good Morning… ફિલ્મોમાં એક સમય એવો હતો જ્યારે ઉર્દૂ ગીતકારોનો દબદબો હતો, એ યુગમાં લગભગ શુદ્ધ હિન્દી ગીતો આપવાની શરૂઆત…
બજેટ 2021-22ની મુખ્ય બાબતો
બજેટ 2021-22ની મુખ્ય બાબતો:*🇮🇳 ◼️ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં ◼️નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં ◼️મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા…
*એક સ્ત્રીની ઈચ્છા…..વાર્તા*
*એક સ્ત્રીની ઈચ્છા…* વિચારું છું કાલે એક રજા લઉં… થોડીક આળસની પણ મજા લઉં… પણ શરુઆત ક્યાંથી કરુ? છે…
