** જીએનએ અમદાવાદ: આપણા સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર વિવિધ સ્વરૂપથી મદદ કરવા આવે છે. અંગદાનના કિસ્સામાં અંગદાતા એવા બ્રેઇનડેડ દર્દીઓ એ અંગદાન મેળવનાર દર્દીઓ માટે ઇશ્વરતુલ્ય જ હોય છે, કેમકે આવા દાનથી તેમની જીંદગી ફરી વસંતની માફક ખિલી ઉઠે છે. તેથી જ અંગદાનને જીવનદાનની સમકક્ષ ગણાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. છેલ્લાં ૧૦ મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦ લોકોના શરીરમાંથી મેળવેલા ૬૮ જુદા જુદા અંગથી જુદા જુદા ૫૪ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. લેટેસ્ટ અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે, મૂળ ડૂંગરપુર, રાજસ્થાન ના ૪૬ વર્ષીય બસુબેન કલાસુઆનો ૨૧ નવેમ્બરના રોજ રાજસ્થાનમાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુર ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ ગંભીર બનતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. જ્યાં ૨૩ નવેમ્બર ના રોજ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue Transplant Organization)ની ટીમ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. બસુબેનના પરિવારજનો દ્વારા અંગદાન ની સંમતિ દર્શાવતા તેમની બંને કિડની, બે ફેફસા અને લીવરના અંગોનું દાન મેળવવામાં સફળતા મળી હતી.આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે. જ્યારે બંને ફેફસાને ગ્રીન કોરિડોર કરી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે હૈદરાબાદના દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.અને એ રીતે અનેક જીવનમાં ફરી ખુશહાલીનો રંગ છવાશે.
Related Posts
સમી રાધનપુર હાઇવે પીક અપડાલું અને બોલેરો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત…
સમી પાટણ બ્રેકીંગ.. સમી રાધનપુર હાઇવે પીક અપડાલું અને બોલેરો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત… ગમખ્વાર અકસ્માતમાં ૨ વ્યક્તિના ઘટના સ્થળે…
આંણદ ખંભાત પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર સામે દાખલ કરી ફરીયાદ વડોદરાના શૈલેષ પરમાર વિરુદ્ધ દાખલ કરી ફરીયાદ
આંણદ ખંભાત પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર સામે દાખલ કરી ફરીયાદ વડોદરાના શૈલેષ પરમાર વિરુદ્ધ દાખલ કરી ફરીયાદ *મોદીજી સાંભળજો…
રાજકોટ પોલીસ કમિશનર ઉત્તરાયણને લઇને જાહેર કરી ગાઇડલાઇન, કહ્યું- પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખે તો દંડ થશે.
રાજકોટ,19 ડિસેમ્બરઃ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિનો તહેવાર ગુજરાતી ખૂબ જ હોંશેથી ઉજવે છે, નવા વર્ષના આ તહેવારને પણ લોકો પહેલાની…
