ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ખાલી પડનારી રાજ્યસભાની 4 બેઠકોની 26 માર્ચે ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભામાં હાલનું 180 ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપને એક બેઠક વધારાની ગુમાવવી પડે તેમ છે. હાલ આ 4 બેઠકમાંથી ભાજપ પાસે 3 અને કોગ્રેસની એક બેઠક છે. હાલ ભાજપના 103 કોંગ્રેસના 73, BTPના 2, NCPના-1 અને અપક્ષ પાસે એક ધારાસભ્ય છે. આ સંખ્યાબળને આધારે 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપને 2 અને કોંગ્રેસને 2 બેઠક મળી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું સંખ્યાબળ 117 બેઠકથી 99એ આવી ગયું હતું.જીતવા માટે જોઇએ.રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 180 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 36 થાય જેમાં એક ઉમેરતા 37 મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 114 MLAના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ 103 અને કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને એક મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળતા થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 11 સભ્યોની ઘટ પડી શકે છે.
Related Posts
યુ.પી.નાં બલિયામાં ખાનગી ચેનલના પત્રકારની ગોળી મારીને હત્યા કરાઈ.
યુ.પી.નાં બલિયામાં ખાનગી ચેનલના પત્રકારની ગોળી મારીને હત્યા કરાઈ.
*સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઈનનો આરંભ કરાવતા રાજ્ય શિક્ષણમંત્રી*
*સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઈનનો આરંભ કરાવતા રાજ્ય શિક્ષણમંત્રી* સુરતઃ સંજીવ રાજપૂત- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
*જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું*
*જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું* જામનગર : સંજીવ રાજપૂત: જામનગરની શ્રી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પીટલમા ગોવા શિપયાર્ડ લી.…
